Press "Enter" to skip to content

ભૂનમન વજ્રાસન

Yogesh Patel 0

ભૂનમન વજ્રાસન : પેટની આજુબાજુ જમાં થયેલી વધારાની ચરબી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. પેટની ચરબી ઘટાડવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે. ભૂનમન વજ્રાસન પેટની ચરબી ઘટાડવા માટેનું એક ઉત્તમ આસન છે.

મૂળ સ્થિતિ : વજ્રાસનની સ્થિતિમાં બેસો.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ વજ્રાસનની સ્થિતિમાં બેસો.
  • બન્ને હાથની મુથ્ઠી બંધ કરી, નાભિની આજુબાજુમાં દ્રઢતાથી પેટ સાથે જોડીલી રાખો.
  • કમરમાંથી સીધા થઈ ઊંડા શ્વાસ લઈ શ્વાસ છોડતાં છોડતાં આગળ તરફ નમો.
  • કપાડ જમીનને અડે ત્યાં સુધી આગળ તરફ નમી જાઓ.
  • બન્ને હાથ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આગળની તરફ રાખવા.
  • આ સ્થિતિમાં પગના સાથળ અને છાતીનો ભાગ એકબીજાને અડીલો રહેશે.
  • ખભા ઢીલા છોડી શ્વાસોચ્છવાસ ઊંડાણપૂર્વક લો.
  • યથાશક્તિ આ સ્થિતિમાં રહો.
  • હવે, ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા આવો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • શ્વસનક્રિયા સામાન્ય રાખવી.
  • ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવા.
  • પેટમાં કોઈ ઓપરેશન કે અન્ય પેટની તકલીફવાળા વ્યક્તિઓએ આ આસન ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવું.

ફાયદા :

  • આ આસનથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
  • કબજિયાત મટે છે.
  • પેટમાં વધુ પડતી ચરબી હોય તો તે દૂર થાય છે.
  • મૂત્રપિંડ મજબૂત બને છે.
  • લોહિનું પરિભ્રમણ ઝડપી બને છે.
  • પેટના આંતરિક અવયવોને પુનઃજીવન પ્રાપ્ત થાય છે.
  • અપચો કે ગૅસ જેવી સમસ્યા દૂર થાય છે.
  • પેટના સ્નાયુઓ મજબૂત બને છે.
  • આ આસનથી વજ્રાસનના લાભ પણ મળે છે.
  • આ આસન કરવાથી કરોડને કસરત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *