Press "Enter" to skip to content

સર્વાંગાસન

Yogesh Patel 0

સર્વાંગાસન : 

યોગાસનોમાં શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે કારણ કે શીર્ષાસન એ ખૂબ જ લાભદાયી છે. એવી જ રીતે સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી કહેવામાં આવે છે. એ પરથી સર્વાંગાસનની અગત્યતા સમજાશે. સર્વ અંગો ઉપર અસર કરતું આસન એટલે સર્વાંગાસન. આ આસન આપણા શરીરને અદભૂત લાભ આપે છે. આ આસન માત્ર શારીરિક નહિ પરંતુ આધ્યાત્મિક અને માનસિક લાભ માટે ખૂબ જ ઉપયોગી છે.

મૂળ સ્થિતિ : પીઠ પર ચત્તા સૂઈ જવું.

પદ્ધતિ :

  • પીઠ પર ચત્તા સૂઈ જાઓ.
  • બંને પગ ભેગા કરી શ્વાસ અંદરની તરફ ભરી બંને પગને એકી સાથે ધીમે ધીમે ઘૂંટણમાંથી વાળ્યા વગર ઊંચા કરો.
  • પગ કમરના ભાગથી થોડા ઊંચા થાય ત્યારે બંને હાથ પીઠ પાછળ ગોઠવી શરીરને ટેકો આપો.
  • હાથની કોણીઓ જમીન ઉપર રહેવી જોઈએ. બંને પગ આકાશતરફ 90o ખૂણે ગરદન અને ખભા જમીનને અડકીને રહેશે.
  • શરીર હલે નહિ તે રીતે પગ સીધા રાખો.
  • પંજા આકાશ તરફ ખેંચાયેલા રાખી સ્વાભાવિક રીતે શ્વાસોશ્વાસ લેતા રહો. થોડીવાર આ સ્થિતિમાં રહો.
  • એક મિનિટથી પાંચ મિનિટ સુધી આ આસન કરી શકાય.
  • આ આસનમાંથી પાછા ફરતી વખતે પગને માથા તરફ વાળી શરીરને ઢીલું કરી જમીન તરફ લાવો.
  • કમર ઉપર હાથને સરકાવતાં ધીરે ધીરે બંને પગ અને પીઠ મૂળ સ્થિતિમાં લાવો.
  • ઓછામાં ઓછી 60 સેકન્ડ માટે વિશ્રામ કરો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • પગને વાળવા નહિ.
  • પગને વધારે પડતા પાછળ ઝૂકાવી દેવા નહિ.
  • આસન દરમિયાન પગને જોડેલા રાખવા.
  • આસનમાંથી પાછા ફરતાં માથું જમીનથી ન ઉઠાવવું.
  • ઝટકા સાથે આસન ન છોડવૂં.
  • આ આસન દરમિયાન નજર પગની આંગળીઓ પર સ્થિર કરવી.

ફાયદા :

  • શરીરના તમામ તંત્રો જેવા કે ચેતાતંત્ર, પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને શરીરના આંતરિક અવયવો ઉપર ખૂબ સારી અસર કરે છે.
  • સર્વાંગાસનથી થાઈરોઈડ ગ્રંથિના બધા કોષોને ઑક્સિજન અને પોષક તત્વો મળે છે.
  • સર્વાંગાસન થાઈરોઈડની ક્ષમતાને અને ક્રમશઃ આખા શરીરને સુધારવામાં સીધો ફાળો આપે છે.
  • આ આસનથી યાદશક્તી વધે છે. માનસિક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે.
  • આ આસન પાચન ક્રીયા શુદ્ધને કરે છે અને શરીરમાં રક્તની શુદ્ધી કરી રક્ત શોધકનું કામ પણ કરે છે. 
  • સર્વાંગાસનથી યકૃત અને બરોળના દોષો દૂર થાય છે.
  • કરોડના સર્વાઈકલ ભાગે ખેંચાણ આવવાથી કાર્યશક્તિ અને નમનીયતા વધે છે.
  • ખભા તથા બાહુઓને મજબૂત કરે છે અને કરોડરજ્જુને કુમાશવાળી રાખે છે.
  • મગજને વધારે  રક્તથી પોષણ આપે છે.
  • હ્રદયમાં શીરાઓનું વધારે રક્ત પહોંચાડીને હૃદયના સ્નાયુઓને ખેચાણ આપે છે.
  • કબજીયાતમાં સર્વાંગાસન ખૂબ જ લાભદાયી છે.
  • ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.
  • સારણગાંઠ ની તકલીફ દૂર થાય છે.

સાવચેતી :

  • ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું.
  • થોઈરોઈડના અતિવિકાસવાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહિ.
  • ખૂબ જ નબળા હૃદયવાળા વ્યક્તિઓએ આ આસન કરવું નહિ.
  • અતિશય મેદવાળા વ્યક્તિઓએ આ આસન અનુભવીના માર્ગદર્શન વિના કરવું નહીં.
  • જેમણે કમરની ગાદીની તકલીફ હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.
  • જેમની આંખોની નસો નબળી હોય તેવા લોકોએ પણ આ આસન કરવું જોઈએ નહિ.
  • કાનમાં રસી આવતી હોય તેવા લોકોએ આ આસન કરવું નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *