Press "Enter" to skip to content

મકરાસન

Yogesh Patel 0

મકરાસન : મકર એટલે મગર. આ આસનમાં શરીરની સ્થિતિ મગર જેવી બનતી હોવાથી તેને મકરાસન કહેવામાં આવે છે.

ઘેરંડ સંહિતામાં મકરાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

अथ मकरासनम् ।

अध्यास्यः शेते हृदयं निधाय मूमौ च पदौ च प्रसारर्यमाणौ ।

शिरश्व धृत्वा करदण्डयुग्मे देहाग्निकारं मकरासनं तत् ॥

મૂળ સ્થિતિ : એક સ્વચ્છ આસન પર ઊંધા સૂઈ જવું.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ એક સ્વચ્છ આસન પર ઊંધા સૂઈ જવું.
  • બન્ને પગ વચ્ચે થોડું અંતર રાખવું.
  • પગની એડી અંદરની તરફ રહે તેમ રાખો.
  • પગના પંજા બહારનઈ તરફ રાખો.
  • બન્ને હાથ માથાની ઉપરથી આગળની બાજુએ લઈ જાઓ અને તેની કાતર જેવી આકૃતિ બનાવીને તેની માથુ મુકી દો.
  • માથું જમીન તરફ રાખો અને આંખો બંધ રાખવી.
  • આ સ્થિતિમાં માથું બન્ને હાથ વચ્ચે રહેશે.
  • હાથની કોણી, પેટનો ભાગ, સાથળ અને પગના પંજાનો ભાગ જમીનને સ્પર્શેલો રહેશે.
  • હવે, શરીરને ઢીલું છોડી દો.
  • શ્વાસ એકદમ ધીમે ધીમે અને ઊંડા લો.
  • થોડીવાર આ આસનમાં રહ્યા બાદ મૂળ સ્થિતિમાં આવવું.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • શરીરને સ્થિર રાખવું.
  • પગને ખુલ્લા રાખવા.
  • નબળા વિચારોને ત્યાગી મન કેંદ્રિત કરવું.

ફાયદા :

  • આ આસનથી શરીરની બધી જ કોશિકાઓ અને માંસપેશીઓને આરામ મળે છે.
  • આ આસનથી શરીરને સંપૂર્ણ તણાવમુક્ત કરી શકાય છે.
  • પાચનતંત્ર, ચેતાતંત્ર પર ખૂબ જ સારી અસર થાય છે.
  • આ આસન મગજના કોષોને તણાવમુક્ત કરે છે.
  • આ આસનથી મગજની ચેતાઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને માનસિક શાંતિ મળે છે.
  • વાત, પિત્ત અને કફ જેવી તકલીફો દૂર થાય છે.
  • આ આસનથી નાડીઓમાં પ્રાણસંચાર સરળતાથી થાય છે.
  • આ આસનમાં સવાસનના લાભ પણ પ્રાપ્ત થાય છે.
  • આ આસનની સ્થિતિમાં ફેફસા ફુલે છે જેનાથી તેની અંદર પ્રાણવાયુ વધારે માત્રામાં જાય છે તેમજ દૂષિત વાયુ બહાર નીકળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *