Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2013 Exam Questions

Long Answer Type

71. પોષણ એટલે શું ? આકૃતિ સાથે અમીબામાં પોષણની સમજૂતી આપો. 

Advertisement
72. શ્વસન એટલે શું ? મનુષ્યના શ્વસનતંત્રની સમજૂતી આપો. (આકૃતિ જરૂરી નથી) 

શ્વસન એટલે સજીવોમાં કાર્બનિક પોષક દ્રવ્યોના ઑક્સિડેશનથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શ્વસન કહેવાય છે. આ ક્રિયા કોષોની અંદર થતી હોવાથી તેને કોષીય શ્વસન કે આંતરિક શ્વસન પણ કહેવાય છે.

શ્વસનતંત્રની સમજૂતી નીચે પ્રમાણે છે.

મનુષ્યમાં સુવિકસિત શ્વસન આવેલું છે. મનુષ્યના શ્વસનમાં બાહ્ય નાસિકાછિદ્રો, નાસિકાકોટર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસાંનો સમાવેશ થાય છે.

બાહ્ય નાસિકાછિદ્રો : નાકના અગ્ર છેડે બે નાસિકાછિદ્રો આવેલાં તે હવાના પ્રવેશમાર્ગ તરીકે અગત્યના છે.

નાસિકાકોટર : બાહ્ય છિદ્રો નાકમાં આવેલા પોલાણમાં ખુલે તેને નાસિકાકોટર કહેવામાં આવે છે. નાસિકાકોટરનું અસ્તર શ્લેષ્મ અને સુક્ષ્મ રોમ ધરાવે છે. નાકમાં પ્રવેશેલી હવામાંથી રજકણો, અન્ય કચરો અને સૂક્ષ્મજીવાણુઓ અહીં ગળાય છે અને તેને શ્વસનમાર્ગમાં આગળ વધતા અટકાવાય છે.

કંઠનળી : નાસિકાકોટરના અને અંતઃનાસિકા આવેલી છે. તે કંઠનળીમાં ખૂલે છે.

શ્વાસદ્વાર : કંઠનળી શ્વાસનળીમાં એક ફાટ દ્વાર ખૂલે છે. તેને શ્વાસદ્વાર કહેવાય છે. શ્વાસદ્વારની ઉપર રક્ષણાત્મક કાસ્થિમય પડદો ઘાંટીઢાંકણ આવેલો છે. ખોરાકનો કોળિયો ગળે ઉતારતી વખતે શ્વાસદ્વાર ઘાંટીઢાંકણથી બંધ થાય છે. તેથી ખોરાક શ્વાસનળીમાં જતો નથી. શ્વાસદ્વાર શ્વાસનળીમાં ખૂલે છે.

શ્વાસનળી : શ્વાસનળીના અગ્ર છેડે સ્વરપેટી આવેલી છે. તેને સ્વરયંત્ર કહેવાય છે. સ્વરયંત્રના પશ્વ છેડેથી શરૂ થતી શ્વાસનળી ઉરસીય ગુહાના મધ્યભાગ સુધી લંબાય છે. તે 12 cm લાંબી અને 2.5 cm પહોળી નલિકામય રચના છે. તે બે શાખામાં વહેચાય છે.

શ્વાસવાહિની : શ્વાસનળીની બે શાખાને શ્વાસવાહિની કહેવાય છે. તે પોતાની તરફના ફેફાસાંમાં પ્રવેશે છે.

શ્વાસનળી અને શ્વાસવાહિનીનાં પોલાણોની દીવાલમાં થોડા થોડા અંતરે ‘c’ આકારની કાસ્થિની બનેલી કડીઓ આવેલી છે. સ્વસનમાર્ગમાં હવા અન હોવા છતાં આ કડીઓ શ્વસનમાર્ગને રૂંધાતો અટકાવીને ખુલ્લો રાખે છે.

સૂક્ષ્મ શ્વાસવાહિકાઓ : શ્વાસવાહિની ફેફસાંમાં પ્રવેશીને અનેક શાખાઓ અને ઉપશાખાઓમાં વહેંચાઈ જાય છે. અને સૂક્ષ્મ શ્વાસવાહિકાઓમાં પરિણમે છે. આ અંતિમ શાખાઓ વાયુકોષ્ઠોમાં અંત પામે છે.

વાયુકોષ્ઠો : ફેફસાંમાં આવેલી કોથળીમય રચનાઓ છે. વાયુકોષ્ઠો વાયુ-વિનિમયમાં અગત્ય ધરાવે છે.

ફેફસાં : ઉરસગુહામાં પાતળી દીવાલ ધરાવતાં, એક જોડ ફેફસાં આવેલા છે. તેની ફરતે બે પડનું આવરણ આવેલું છે. બે પડ વચ્ચે ધર્ષણનોરોધક પ્રવાહી આવેલું છે.


Advertisement
73.
ધાતુનું વિશુદ્ધિકરણ એટલે શું ? કૉપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો. 

74.
કાચી ધાતુનું સંકેંદ્રણ એટલે શું ? સલ્ફાઈડ ખનીજવાળી કાચીધાતુનું સંકેંદ્રણ આકૃતિ દોરી વર્ણન કરો. 

Advertisement