CBSE
કાચી ધાતુમાંથી શુદ્વ ધાતુ મેળવવાની પ્રક્રિયા પાંચ તબક્કામાં વહેચાયેલી છે:
1 કાચી ધાતુમાંથી પાઉડર
2 કાચી ધાતુનું સંકેન્દ્રણ
3 ભુંજન, કૅલ્શિનેશન અને પિગલન
4 રિડક્શન
5 ધાતુનું વિશુદ્વિકરણ
કૉપરના શુદ્વિકરણ માટેની વિદ્યુતવિભાજન પદ્વતિ :
આ પદ્વતિમાં અશુદ્વ ધાતુનો સળિયો ઍનોડ (ધન ધ્રઉવ) અને શુદ્વ ધાતુનો સળિયો કૅથોડ (ઋણ ધ્રુવ) તરીકે લેવામાં આવે છે. ધાતુના ક્ષારના જલીય દ્વાવણનો ઉપયોગ વિદ્યુતવિભાજ્ય તરીકે કરવામાં આવે છે. વિદ્યુતવિભાજ્યમાં વિદ્યુતપ્રવાહને પસાર કરતાં ઍનોડ વિદ્યુતવિભાજ્ય ઓગળે છે. ઍનોડ ઓગળવાથી જેટલા પ્રમાણમાં ધાતુ વિદ્યુતવિભાજ્યમાં ઉમેરાય છે તેટલા પ્રમાણમાં ધાતુ વિદ્યુતવિભાજ્ય કૅથોડ પર જમા થાય છે. કૅથોડ પર જમા થતી આ ધાતુમાં અશુદ્વિ ન હોવાથી તે અતિશુદ્વ હોય છે. ઍનોડ ઓગળવાથી વિદ્યુતવિભાજ્યમાં ઉમેરાયેલ અતિશુદ્વિઓ પૈકીની દ્વાવ્ય અશુદ્વિ વિદ્યુતવિભાજ્યમાં અને અદ્વાવ્ય અશુદ્વિઓ ઍનોડના તળિયે એકઠી થાય છે. તેને ઍનોડિક પંક કહે છે.
જો કૉપરનું શુદ્વિકરણ આ પદ્વતિ દ્વારા કરીએ તો, અશુદ્વ કૉપરનો સળિયો ઍનોડ તરીકે અને શુદ્વ કૉપરનો સળિયો કૅથોડ તરીકે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવે છે. કૉપર સલ્ફેટનું જલીય દ્વાવણ વિદ્યુતવિભાજ્ય તરીકે લેવામાં આવે છે. તેમાં થોડા પ્રમાણમાં મંદ સલ્ફ્યુરિક ઍસિડ ઉમેરવામાં આવે છે. વિદ્યુતવિભાજ્યમાં વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી ઍનોડમાંથી જેટલા પ્રમાણમાં કૉપર, કૉપર સલ્ફેટના જલીય દ્વાવણમાં ઓગળે છે તેટલા પ્રમાણમાં કૉપર, સલ્ફેટના જલીય દ્વાવણમાંથી કૅથોડ પર જમા થાય છે. આ રીતે કૅથોડ પર જમા થતું કૉપર લગભગ 100% શુદ્વતા ધરાવે છે.
ઍનોડ (ધનધ્રુવ) : (ઑક્સિડેશન)
કૅથોડ (ઋણધ્રુવ) : (રિડક્શન)
કુલ પ્રક્રિયા :