Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2016 Exam Questions

Long Answer Type

71. પોષણ એટલે શું? પરાવલંબી પોષણનું તેના પ્રકાર સહિત વર્ણન કરો. 

72. શ્વસન એટલે શું? મનુષ્યનાં શ્વસનાંગો વિશે સવિસ્તાર નોંધ લખો.

73.
કાચી ધાતુમાંથી શુદ્વ ધાતુ મેળવવાની પ્રક્રિયાના તબક્કાના માત્ર નામ લખો. કૉપરના શુદ્વિકરણ માટેની વિદ્યુતવિભાજન પદ્વતિ આકૃતિ દોરી સમજાવો. (અંધ ઉમેદવારોએ આકૃતિ દોરવાની જરૂર નથી.)

Advertisement
74. માનવવસતિ નિયંત્રણની પદ્વતિઓ વર્ણવો.

ગર્ભાવસ્થા અટકાવીને માનવવસતિ-નિયંત્રણ માતે વિવિધ વૈજ્ઞાનિક ઉપાયો છે. આ કૉન્ટ્રાસેપ્ટિવ(કુટુંબ-નિયોજન)ની પદ્વતિઓ વ્યાપક રીતે નીચેના ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરાય છે:
(1) યાંત્રિક અંતરાયો: આ અંતરાયો દ્વારા શુક્રકોષોને જનનમાર્ગમાં જતા અટકાવાય છે. તેથી અંડકોષનું ફલન થઈ શકતું નથી.

પુરુષ શિશ્ન પર નિરોધ પહેરીને જાતીય સમાગમ કરે, તો આ હેતુ સિદ્વ થઈ શકે છે.

સ્ત્રીઓમાં યોનિમાં પડદો પહેવાથી ફલન અટકાવી શકાય છે.

સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભાવરોધક સાધન કૉપર કે આંકડી મૂકવામાં આવે છે. આ સાધન નિષ્ણાત ડૉક્ટર દ્વારા મૂકવામાં આવે છે. તે ગર્ભાશયમાં ગર્ભસ્થાપન થતું અટકાવે છે.

(2) રાસાયણિક પદ્વતિ: આ પદ્વતિમાં સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરાય છે.

મોં દ્વારા લેવાતી ગોળીઓમાં અંત:સ્ત્રાવો(મુખ્યત્વે પ્રોજેસ્ટૅરોન)નું સંયોજન કરેલું હોય છે. તેની અસરથી અંડપિંડમાં અંડકોષનું પરિપક્વન અટકાવાય છે અને અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થતા નથી.

સ્ત્રીના યોનિમાર્ગની ગોળીઓ સ્પર્મીસાઇડ નામનું રસાયણ ધરાવે છે. તે શુક્રકોષોનો નાશ કરે છે. આથી ફલન શક્ય બનતું નથી.

(3) શસ્ત્રક્રિયા: શસ્ત્રક્રિયા વડે પુરુષની બંને શુક્રવાહિનીને કાપી કે બાંધી દેવામાં આવે છે. આ શસ્ત્રક્રિયાને નસબંધી કહેવામાં આવે છે. સ્ત્રીમાં આવી શસ્ત્રક્રિયામાં બંને અંડવાહિનીને કાપી કે બાંધી દેવામાં આવે છે અને કપાયેલા ખુલ્લા છેડા બંધ કરી દેવામાં આવે છે. આ શસ્ત્રક્રિયાને ટ્યૂબેક્ટોમી કહે છે.

વસતિ-નિયંત્રણ માટેની કોઈ પણ પદ્વતિનો અમલ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.


Advertisement
Advertisement