જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકાય?
માઠાં કર્ષેમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી. છતાં વર્ષોવર્ષ લાકડાં, ડાંગર, કઠોળ, ગોળ, કેરી શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈને વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તોપણ ‘શાહુકારનાં છોકરાંને આપદા ન પડવી જોઈએ’ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો.