‘સૂર, શરણાઈ, સગાંસંબંધીઓની ભીડમાં, બીની પલક’ શબ્દો શું સૂચવે છે?
‘સુર, શરણાઈ, સગાંસંબંધીઓની ભીડમાં, ભીની પલક’ શબ્દો એક પિતાની દીકરીના વિરહની વેદના સૂચવે છે. જ્યારે શરણાઈના સૂર સંભળાય ત્યારે સગાંસંબંધીઓની ભીડમાં પણ પિતા સંયમ રાખી શકતા નથી. દીકરીની યાદમાં તેમની આંખ ભીની થઇ જાય છે અને એ ભીની પલકમાં પિતાને પોતાની દીકરી જ પ્રત્યક્ષરૂપે દેખાય છે.