Chapter Chosen

ભૂલી ગયા પછી

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું?

નરેન મનીષાને આવકારતાં શું કયું?

મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ શી રીતે વ્યક્ત કર્યો?

નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો?

Advertisement
‘ભુલી ગયા પછી’ એકાંકીનું રહસ્ય જણાવો.

‘ભૂલી ગયા પછી’ એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બંધવાની ઘટના છે. મનીષા અને નરેન વચ્ચે પ્રેમસંબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનનાં લગ્નની વિરુદ્ધ હતા. નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેનાં લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી. એ પછી તેઓ આ વાત ભુલી ગયા, પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો. એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. એમાં મહત્વની ઘટના આબુ પર પર્વતારોહણની. મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું. આ જોઈ સૌ આવાક્ થાઇ ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમપ્રવાહને રજુ કરતાં સંવાદોની ગૂંથણી સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવાની ઘટનાને દિશા આપે છે. એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેનાં લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે, એટલું જ નહી બંનેને આર્શીવાદ આપે છે:"તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવો!"

પિતા તો લગ્નની ના પાડીને આ વાત ભૂલી ગયા હતા, પણ પછી અચાનક બનેલી ઘટનાએ તેમને નવેસરથી વિચારતા કરી મૂક્યા. અંતે પોતાની સંમતિથી સાચા પ્રેમનો વિજય થયો. આ છે એકાંકીનું ચમત્કૃતિપૂર્ણ રહસ્ય!!  


Advertisement
Advertisement