“મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે.” એમ લેખક શા માટે કહે છે?
“મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે.” એમ લેખક કહે છે, કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળવે છે, જ્યારે ઈર્ષ્યા કરવાથી ઍસિડિટી વધી શકે છે. માનસિક તાણથી બ્લડ પ્રેશરની બીમારી આવે છે. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં તાણ આવે, તો બંનેના સ્વાસ્થ્ય પર એની સીધી અસર પડે છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવાં દૂષણોથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. નશો, ધૂમ્રપાન, શરાબનું સેવન, વગેરે વ્યસનો પણ શરીરની તંદુરસ્તીને નુકશાન પહોંચાડે છે.