છાશ અને ઘીના દ્વષ્ટાંતથી શ્રીમદ્ રાજચંદ્રે છોકરાઓને શું સમજાવ્યું?
છાસ અને ઘીના દ્વષ્ટાંતથી શ્રીમદ્ રાજચંદ્રે છોકરાઓને સમજાવ્યું કે દેહ છાશના જેવો છે. તેને જીવ સાચવે છે. આત્મા ઘીના જેવો છે. તે દેહનો ત્યાગ કરે છે. એટલે આ જીવ અવળી સમજણવાળો છે. છાશના જેવો દેહ સામાન્ય છે, પણ ઘીના જેવો આત્મા મૂલ્યવાન છે. છાશની જેમ દેહ ઢોળાઈ જાય એટલે કે મૃત્યુ પામે, નાશ પામે પણ એનાથી નુકસાન થતું નથી. એનો અર્થ એ કે દેહ નહી, પણ આત્મા મૂલ્યવાન છે.