શ્રીમદ્ માં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો.
શ્રીમદ્ ના બે મામાઓ અને ધારસીભાઇ વચ્ચે રાજસંબંધી ખતપટ વેર હતું. બંને મામાએ ધારસીભાઇને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો. એમની વાતચીત પરથી શ્રીમદ્ ને એ બાબતની ગંધ આવી ગઈ. તેમણે ધારસીભાઇને ઘેર જઈ તેમને આ બાબતે ચેતવી દીધા. આ પ્રસંગ પરથી સમજાય છે કે શ્રીમદ્ માં પરહિત અને પરોપકારની ભાવના હતી.