Chapter Chosen

આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન ‘T’ પ્રભાવી છે અને જનીન ‘t’ પ્રચ્છન્ન છે. મેન્ડલના પ્રયોગના આધારે સમજાવો. 

અથવા 

વટાણામાં કોઈ એક લક્ષણની બે પેઢીઓની આનુવંશિકતા સમજાવો.

Advertisement

ટૂંકી માહિતી આપો : આનુવંશિકતા અને ભિન્નતા


સજીવોમાં પેઢી દર પેઢી વારસાગત લક્ષણોના વહનની ક્રિયાને પરિણામે આનુવંશિકતા જોવા મળે છે. આનુવંશિકતાને લીધે સજીવો તેમની પોતાની જાતિનાં લક્ષણોને અનુસરે છે. આમ, આનુવંશિકતા દ્વારા દરેક જાતિ લક્ષણોની રચના પેઢી દર પેઢી જાળવી રાખે છે. પ્રજનન દ્વારા સજીવોમાં સર્જાતી નવી પેઢીમાં સંતતિ તેની પિતૃપેઢીને મળતી આવે છે.

પરંતુ સંતતિઓ તેમના પિતૃઓની સંપૂર્ણ પ્રતિકૃતિ હોતી નથી. સંતતિઓમાં પિતૃઓથી જુદા પડવાની ઘટનાને ભિન્નતા કહે છે. ખાસ કરીને લિંગી પ્રજનન કરતા સજીવોમાં બે પિતૃઓ ભાગ લેતા હોવાથી સંતતિમાં ભિન્નતા વધારે જોવા મળે છે. માનવવસતિમાં વિપુલ પ્રમાણમાં ભિન્નતાઓ જોવા મળે છે. સજીવોમાં ભિન્નતા પર્યાવરણમાં નૈસર્ગિક પસંદગીમાં ઉત્તીર્ણ થવાની અને અનુકૂલન પામવાની તક પૂરી પાડે છે.

Advertisement
ભિન્નતા એટલે શું ? પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સર્જન અને તેમનું મહત્ત્વ જણાવો. અથવા સમજાવો ;

ભિન્નતાઓ ઉદભવ અને ઉત્ક્રાંતિ

ઉત્ક્રાંતિ એટલે શું ? તે કયા લૅટિક શબ્દ પરથી મેળવાયો છે ? તેનો અર્થ જણાવો.


“ દરેક જાતિ પોતાનું અલગ વ્યક્તિત્વ જાળવે છે, છતાં સંતતિ તેના પિતૃને સંપૂર્ણપણે મળતી આવતી નથી.” સમજાવો.


Advertisement