Chapter Chosen

આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભિન્નતા એટલે શું ? પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સર્જન અને તેમનું મહત્ત્વ જણાવો. અથવા સમજાવો ;

ભિન્નતાઓ ઉદભવ અને ઉત્ક્રાંતિ

Advertisement
વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણ માટે જનીન ‘T’ પ્રભાવી છે અને જનીન ‘t’ પ્રચ્છન્ન છે. મેન્ડલના પ્રયોગના આધારે સમજાવો. 

અથવા 

વટાણામાં કોઈ એક લક્ષણની બે પેઢીઓની આનુવંશિકતા સમજાવો.

મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગો કરી, અવલોકનોના આધારે આનુવંશિકતાના મુખ્ય નિયમો તારવ્યા.

મેન્ડલે પ્રયોગના પદાર્થ તરીકે બગીચાના વટાણા ના છોડની પસંદગી કરી, વટાણામાં વિવિધ લક્ષણો અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે.

મેન્ડલે વટાણામાં છોડની ઊંચાઈનું લક્ષણ અભ્યાસ માટે પસંદ કર્યું. વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણની વિરોધાભાસી અભિવ્યક્તિ ઊંચા છોડ જોવા મળે છે.

મેન્ડલે પિતૃપેઢી(P) માં જ્યારે ઊંચા છોડ (TT લાક્ષણિકતા ધરાવતા DNA) નું સંકરણ નીચા છોડ(tt લાક્ષણિકતા ધરાવતા DNA) સાથે કરતાં પ્રથમ પેઢી(F1)માં બધા છોડ ઊંચા પ્રાપ્ત થયાં. F1 પેઢીમાં કોઈ પણ છોડ નીચા કે મધ્યમ ઊંચાઈના થયા નહીં. આનો અર્થ એ થાય કે સંતતિમાં ફક્ત એક જ પિતૃનું લક્ષણ જોવા મળ્યું.

જ્યારે Fપેઢીના છોડનું સ્વફલન કરવામાં આવ્યું, ત્યારે બીજી પેઢી માં કેટલાક છોડ ઊંચા અને કેટલાક છોડ નીચા (25%) મળ્યા. આમ, F1 પેઢીના પિતૃમાંથી ઊંચાઈ અને વામનતા બંનેની અભિવ્યક્તિ વારસાગત થાય છે. F1 માં વામનતાની અભિવ્યક્તિનું લક્ષણ વ્યક્ત થતું નથી, પરંતુ ફક્ત ઊંચાઈનું લક્ષણ જ વ્યક્ત થાય છે. આમ, લિંગી પ્રજનન કરતા સજીવમાં દરેક લક્ષણની બે નકલ વારસાગત થાય છે. આ નકલ સમાન અથવા ભિન્ન હોઈ શકે છે.



આ પ્રયોગ સૂચવે છે કે ઊંચા છોડ માટે TT અથવા Tt જનીન બંધારણ જ્યારે નીચા છોડ (વામનતા) માટે tt જનીન બંધારણ છે. છોડની ઊંચાઈ માટે એક જ T જનીનની હાજરી પૂરતી છે, જ્યારે છોડની વામનતા માટે જનીનની હાજરી અને જનીનની ગેરહાજરી જરૂરી છે.

આમ, વટાણામાં છોડની ઊંચાઈના લક્ષણને અનુરૂપ T પ્રભાવી લક્ષણ માટેનું જનીન અને t પ્રચ્છન્ન લક્ષણ માટેનું જનીન છે.

Advertisement

“ દરેક જાતિ પોતાનું અલગ વ્યક્તિત્વ જાળવે છે, છતાં સંતતિ તેના પિતૃને સંપૂર્ણપણે મળતી આવતી નથી.” સમજાવો.


ટૂંકી માહિતી આપો : આનુવંશિકતા અને ભિન્નતા


ઉત્ક્રાંતિ એટલે શું ? તે કયા લૅટિક શબ્દ પરથી મેળવાયો છે ? તેનો અર્થ જણાવો.


Advertisement