CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પર્યાવરણને બચાવવા માટેના ત્રણ ‘R’ સમજાવો.
પર્યાવરણને બચાવવા માટેના ત્રણ ‘R’ (1) Reduce (ઓછું કરવું), (2) Recycle (પુનઃચક્રીયતા) અને (3) Reuse (પુનઃઉપયોગિતા) છે.
(1) Reduce (ઓછું કરવું) :
તે નૈસર્ગિક સ્ત્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે.
દા. ત.,
પાણીનો દુરુપયોગ અટકાવવો.
પાણી અને ગૅસની કાણાવાળી નળીઓનું ત્વરિત સમારકામ કરવું.
ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન કરવું.
સૌર-ઊર્જાથી ચાલતાં વાસણો – સાધનો જેવાં કે સોલર કૂકર, સોલર હીટરનો ઉપયોગ કરવો.
પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ(લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગૅસ- LPG ) નો ઉપયોગ ઓછો કરવો.
જરૂર ન હોય ત્યારે લાઈટ અને પંખાની સ્વિચ બંદ કરીને વીજળીનો બચાવ કરવો.
ખનિજસ્ત્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃઉપયોગ કરી ખાણ ખોદકામ ઓછું કરવું.
(2) Recycle (પુનઃચક્રીયતા)
ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુઓને યોગ્ય ઈંચા તાપમાને ગરમ કરી, ગાળણ દ્વારા તેમાંથી નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવી કે મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃચક્રીયકરણ કહેવાય છે.
દા. ત.,
ઉદ્યોગોમાં ઉદભવતા મીણિયા, કાગળ, કાચ, ધાતુઓના ટુકડાઓને ઊંચા તાપમાને ગરમ કરી, ગાળણ કરીને નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરી શકાય છે.
ધાતુમાંથી બનેલાં વાસણો કે ઘરેણાંને ઓગાળી તેનો ફરેથી વાસણો કે ઘરેણાં બનાવવા ઉપયોગ થઈ શકે છે.
પુનઃચક્રીયતા માટે કચરાને યોગ્ય રીતે અલગ કરવાની જરૂર છે, જેથી પુનઃચક્રીયકરણ માટેની ચીજવસ્તુઓ ફેંકાઈ ન જાય.
(3) Reuse (પુનઃઉપયોગિતા)
પુનઃચક્રીયકરણની પ્રક્રિયામાં ઊર્જાનો ઉપયોગ થાય છે. આથી તેની સરખામણીએ પુનઃઉપયોગની પદ્વતિ હંમેશા ઉત્તમ ગણાય છે.
દા. ત.,
દીવાલો શણગારવા માટે રંગબેરંગી કાચના ટુકડાઓ, ટાઈલ્સના ટુકડાઓ કે ચિનાઈ માટીમાંથી બનેલા કપ, ડિશ-રકાબીનો ઉપયોગ કરવામાં આવે.
અથાણાં કે મુરબ્બાની પ્લાસ્ટિકની બરણીઓ ખાલી થયા બાદ ફેંકી ન દેતાં તેનો ઉપયોગ ચા, ખાંડ કે કઠોળ ભરવા માટે કરવામાં આવે.
નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું ? માનવીની કઈ કઈ જરૂરિયાતો પૃથ્વી પૂરી પાડે છે ?
ટૂંક નોંધ લખો :
પર્યાવરણ બચાવવા માટે Reduce
ટુંકમાં સમજાવો : નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન