CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ટૂંક નોંધ લખો : અવખંડન
શા માટે એક જાતિના સજીવો એકબીજા સાથે સામ્યતા ધરાવતા હોય છે ?
એક ચોક્કસ જાતિના પ્રજનનક્ષમ સજીવો પ્રજનન દ્વારા નવા સજીવો નિર્માણ કરે છે. સર્જાતા નવા સજીવો એકબીજા સાથે તેમજ તેમના પિતૃઓ સાથે સામ્યતા ધરાવે છે.
એક જાતિના સજીવોના શરીરમાં સરખાપણું જોવા મળે છે. તેનું કારણ તેમના શરીરની આ રૂપરેખા માટે તેઓ સરખી બ્લ્યૂપ્રિન્ટ ધરાવે છે. પ્રજનનની ક્રિયામાં આ બ્લ્યૂપ્રિન્ટના મોટા ભાગના આધારભૂત સ્તર પરના વાંચનથી નવી નકલો બને છે.
કોષના કોષકેન્દ્રમાં આવેલા રંગસૂત્રો દ્વારા પિતૃઓના વારસાગત લક્ષણોની માહિતી અનુગામી પેઢીમાં વહન પામે છે. આ માહિતી રંગસૂત્રોમાં રહેલા DNA અણુમાં સંગૃહીત હોય છે. DNA ની માહિતી અનુરૂપ ચોક્કસ પ્રોટીનનું નિર્માણ થાય છે. કોષમાં જુદા જુદા પ્રોટીનના નિર્માણ માટે જુદી જુદી માહિતી હોય છે. આ પ્રોટીનના પ્રકારો આધારે લક્ષણો ઘડાય છે.
આમ, એક જાતિના સજીવોમાં તે જાતિનું DNA (જનીનદ્રવ્ય) અને તે માહિતી પ્રમાણે પ્રોટીનનું નિર્માણ થતું હોવાથી એક જાતિના સજીવો એકબીજા સાથે સામ્યતા ધરાવે છે.
અલિંગી પ્રજનનની પદ્વતિઓ વિશે લખો.
કોષપ્રજનનની ક્રિયા અને તેનો ઉત્ક્રાંતિ સાથે સંબંધ સમજાવો.