CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વહન એટલે શું ? જટિલ રચના ધરાવતા સજીવોમાં કયાં કયાં દ્રવ્યોના વહનની જરૂર પડે છે ?
વનસ્પતિમાં પાણીના વહનની સમજૂતી આપો.
અથવા
વનસ્પતિમાં મૂળ દ્વારા પાણીનું શોષણ અને ઊર્ધ્વવહન સમજાવો. અથવા જલવાહકમાં પાણીના વાહનની સમજૂતી લખો.
ટુંક નોંધ લખો.
બાષ્પોત્સર્જનથી પાણીનું ઊર્ધ્વવહન
સ્થાનાંતરણ એટલે શું ? અન્નવાહક પેશીમાં પદાર્થોનું સ્થાનાંતરણ સમજાવો.
સ્થાનાંતરણ : વનસ્પતિનાં લીલાં પર્ણોમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિતોનું સંશ્લેષણ થાય છે. લીલાં પર્ણોથી આ કાર્બોદિત (પ્રકાશસંશ્લેષણીય નીપજો)નું વનસ્પતિના જુદા જુદા ભાગો તરફ વહન થવાની ક્રિયાને સ્થાનાંતરણ કહે છે.
અન્નવાહક પેશીમાં પદાર્થોનું સ્થાનાંતરણ : ખોરાકના સ્થાનાંતરણની ક્રિયા અન્નવાહક પેશીમાં થાય છે. ખોરાકનું સ્થાનાંતરણ અન્નવાહક પેશીના મુખ્ય બંધારણીય ઘટકો, ચાલનીકોષો અને ચાલનીનલિકા દ્વારા થાય છે.
સ્થાનાંતરણ ઉપય અને નીચે બંને તરફ થાય છે. તેમજ આ ક્રિયામાં જરૂરી ઊર્જા ATP માંથી મેળવાય છે.
અન્નવાહક પેશીમાં સુક્રોઝ જેવા પદર્થોનું સ્થાનાંતરણ થાય ત્યારે પેશીમાં આસૃતિદાબ વધે છે. આથી તેમાં પાણી પ્રવેશે છે અને વધારે આસૃતિદાબ ધરાવતી અન્નવાહક પેશીથી ઓછા આસૃતિદાબ ધરાવતી પેશીમાં દ્રવ્યોનું વહન થાય છે.
અન્નવાહક પેશી કાર્બોદિત ઉપરાંત એમોનો ઍસિડ, વનસ્પતિના પ્રરોહાગ્ર અને મૂલાગ્રમાં સંશ્લેષિત થતા વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને અન્ય પદાર્થોનું પણ વહન થાય છે.
આમ, વનસ્પતિની આવશ્યકતા મુજબ અન્નવાહક પેશી દ્રવ્યોનું વહન કરે છે.