Chapter Chosen

ભારત: કૃષિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘ભારતના તેલીબિયાં પાક’ વિશે સવિસ્તર જણાવો. 

ભારતમાં કૃષિક્ષેત્રે થયેલાં સંસ્થાગત સુધારા જણાવો. 

જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?


‘વિશ્વબજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.

Advertisement
કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. 

ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો 6 છે : 1. જીવનનિર્વાહ ખેતી, 2. સૂકી (શુષ્ક) ખેતી, 3. આર્દ્ર (ભીની) ખેતી, 4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી, 5. બાગાયતી ખેતી તથા 6. સઘન ખેતી.

જીવનનિર્વાહ ખેતી : જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે, તે ખેતી ‘જીવનનિર્વાહ’ કે ‘આત્મનિર્વાહ ખેતી’ કહેવામાં આવે છે. આજે ભારતીય ખેતિ મોટા ભાગના વિસ્તારમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે.

ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાનાં ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછાવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે.

વળી, ગરીબીને કારણે તેમને ખેતીનાં આધુનિક ઓજારો, મોંઘાં બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી.

અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવનનિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે.

ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવનનિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે.

સૂકી (શુષ્ક) ખેતી : જ્યાં વરસાદ ઓછો પડે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં ‘સૂકી ખેતી’ કહેવામાં આવે છે.

આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે.

અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે.

ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.

આર્દ્ર (ભીની) ખેતી : જ્યાં વધુ વરસાદ પડે, અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં ‘આર્દ્ર ખેતી’ થાય છે.

વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે.

અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.

સ્થળાંતરિત (ઝૂમ) ખેતી : ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે.

તેમાં જંગલોનાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે.

બે – ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થાળાંતર કરી એ જ પદ્ઘતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ઘતિને ‘સ્થળાંતર’ ‘ઝૂમ ખેતી’ કહે છે.

અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે.

આ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.

બાગાયતી ખેતી : સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી ‘બાગાયતી ખેતી’ તરીકે ઓળખવામાં આવે છે.

તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે.

તેને માટે મોટી મૂડી, સુદ્દઢ આયોજન, ટેક્નિકલ જ્ઞાન, યંત્રો ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે.

અહીં ચા, કૉફી, કોકો, સિંકોના, રબર, નાળિયેરી, ફળફળાદિ વગેરેના પાક લેવામાં આવે છે.

આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરાં, દ્રાક્ષ, લીંબું, ખારેક (ખલેલા) વગેરે ફલોની ખેતી કરવામાં આવે છે.

સઘન ખેતી : ખેતી સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ – ઉત્પાદન કરી શકે છે.

તેથી તે ઊંચી જાતનાં બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી ‘સઘન ખેતી’ કહેવામાં આવે છે.

આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે.

તેમાં હેક્ટરદીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે.

સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.

તેમાં આર્થિક વળરતને વધુ મહત્વ અપાય છે. તેથી તેને ‘વ્યાપારી ખેતી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.


Advertisement
Advertisement