CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?
ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે :
જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ‘ખેડે તેની જમીન’ જેવા ગણોતધારા દ્વારા જમીન ખેડનારાને જમીનમાલિકીનો હક આપવમાં આવે છે.
‘જમીન ટોચ મર્યાદા’ દ્વારા જમીનમાલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે.
‘જમીન એકત્રીકરણ કાર્યક્રમ’ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્ય છે અને કરી રહ્યા છે.
ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બૅન્કો, સહકારી બૅન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે.
બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના’ દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
દુષ્કળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે.
માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરજીની પદ્ઘતિને ફરજિયાત બનાવી છે.
ખેડૂતોને તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરસારી મંડળીઓ અને ખરીદ – વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે.
સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશવ્યવહારની સગવડો વધારવામાં આવી છે.
1. ભરતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ, 2. ગુજરાત તેલીબિયાં ઉત્પાદન સંઘ, 3. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ અને 4. ગુજરાત સ્ટેટ કૉ-ઓપરેટિવ મર્કેટિંગ સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિપેદાશો ખરીદે છે.