CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ધાન્ય પાક ઘઉં છે.
વિશ્વમાં ઘઉંનો પાકનું મહત્વ સૌથી વિશેષ છે.
ભારતની 1/3 ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે.
તે દેશના ઉત્તર – પશ્ચિમ ભાગમાં રહેલા લોકોનો મુખ્ય ખોરાક છે.
ઘઉં સમશીતોષ્ણ કટિબંધ રવી પાક છે.
તેને ફળદ્રુપ ગોરાડુ કે કાળી જમીન, વાવણી વખતે 10 થી 15 સે જેટલું અને લણણી વખતે 20 થી 25 સે જેટલું તાપમાન અને 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી.
ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે.
હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં પાકનું ઉત્પાદન બમણું થયું છે.
ઘઉંના પાકને ઝાકરથી ફાયદો , પરંતુ હિમથી નુકસાન થાય છે.
ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘંઉ-ઉત્પાદનનો 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે.
આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘંઉનું હેક્ટરદીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ‘ઘંઉનો કોઠાર’ કહેવામાં આવે છે.
આ ઉપરાંત ભારતમાં મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે.
ગુજરતના ભાલ પ્રદેશમાં ‘ભાલિયા ઘઉં’ થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ અને ખેડા જિલ્લઓમાં ઘઉં વધુ થાય છે.
પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફૉસ્ફરસ જેવાં તત્વો હોય છે.
ઘંઉમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને ‘અનાજનો રાજા’ કહે છે.
ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું ગણવામાં આવે છે.
જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?