Chapter Chosen

ભારત: કૃષિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘વિશ્વબજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.

ભારતમાં કૃષિક્ષેત્રે થયેલાં સંસ્થાગત સુધારા જણાવો. 

Advertisement
‘ભારતના તેલીબિયાં પાક’ વિશે સવિસ્તર જણાવો. 

ભારતમાં જુદાં જુદાં વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળશી વગેરે તેલીબિયાંના પાક લેવામાં આવે છે.

આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મેળવાય છે.

ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે.

1. મગફળી : બધાં તેલીબિયાંમાં તે સૌથી વધુ મહત્વ ધરાવે છે.

તેનાં પાકને કાળી, કસવાળી, ગોરડુ અને લાવાની રેતીમિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20bold degree થી 25bold degree સે જેટલું તાપમાન તથા 50 થી 75 સેમી જેટલો વરસાદ માફક આવે છે.

તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે.

તે ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે.

મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે.

ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શીંગતેલ ખાદ્યતેલ તરીકે વધારે વપરાય છે.

2. તલ : તેનો પાક વર્ષા આધારિત છે.

આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે.

તે લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધુ થાય છે.

તલના ઉત્પાદનમા અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે.

ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.

બધાં તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે.

ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.

3. સરસવ : તે રવી પાક છે. તે ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયાં પાક છે.

સરસવનાં બીજ અને તેનાં તેલને ઔષધ અને ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ સરસવનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.

4. નાળિયેર : તેને દરિયાકિનારાની ક્ષારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે.

ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરલ રાજ્યમાં થાય છે.

આ ઉપરાંત કર્ણાટક, ગોવા,મહારાષ્ટ્ર, તમિલનાડુ એ અંદમાન-નિકોબારમાં નાળિયેરીના બગીચા આવેલા છે.

ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે.

નાળિયેરના કોપરાને સૂકવી તેમાંથી તેલ (કોપરેલ) મેળવાય છે.

દક્ષિણ ભારતમાં તેનો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણાં તરીકે વપરાય છે.

ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે.

5. એરંડો : એરંડા એટલે દિવેલા. તે ખરીફ તેમજ રવી પાક છે.

ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્ર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે.

ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનનો 64% હિસ્સો ભારતમાં થાય છે.

એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં અનુક્રમે ચીન અને બ્રાઝિલ પછી ભારતનો ક્રમ છે.

ભારતના કુલ ઉત્પાદનમાં લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનો પાક લેવાય છે.

ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લઓમાં થાય છે.


Advertisement

જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?


કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. 

Advertisement