Chapter Chosen

ભારત: ખનીજ અને શક્તિનાં સંસાધનો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
અબરખના ગુણધર્મો અને ઉપયોગ લખો. 

ચૂનાના પથ્થરનાં ઉપયોગો જણાવો.


ખનીજ તેલ વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપો.

Advertisement
ખનીજ સંરક્ષણના ઉપાયો જણાવો. 

ખનીજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે.

યોગ્ય ટેકનોલૉજીનો ઉપયોગ : ખનીજો મેળવવા માટે અદ્યતન ટેક્લનોલૉજીનો ઉપયોગ કરવામાં આવે, તો ખનીજો વેડફાઈ જતી અટકાવી શકાય છે.

પુનઃચક્ર : વપરાઈ ગયેલાં લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ અને કલાઈના ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે અને તેમનો ફરીથી ઉપયોગ થઈ શકે છે.

ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ : ઓછા પ્રમાણમાં મળતા કે ખલાસ થવાની અણી પર હોય તેવાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવાં ખનીજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે, વિદ્યુતને સ્થાને સૌરઉર્જાનો, તાંબાના સ્થાને ઍલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે સી.એન.જી.નો ઉપયોગ કરવો જોઈએ.

બિંપરંપરાગત શક્તિ-સંસાધનોનો ઉપયોગ : પવનઊર્જા, સૌરૌર્જા, બાયોગૅસ, ભરતી ઉર્જા, ભૂતાપીય ઊર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ-સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. આ બધા ઉર્જા સ્ત્રોતો પુનઃપ્રાપ્ય ઊર્જાનાં સંસાધનો છે.

પોષણક્ષમ : પર્યાવરણની ગુણવત્તા જાળવણી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. આ માટે પ્રદૂષણમુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ.
ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ.

ખનીજો નાશવંત છે : ખનીજોનું નવીનીકરણ થઈ શક્તું નથી. તેથી તેમનો બહુ વિવિકપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે.

ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવાં જ કામો માટે ખનીજો વાપરવાં જોઈએ.

ખનીજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે, એ ખ્યાલ સ્વીકારીને ખનીજ સંસાધનોની જાળવણી કરવી જોઈએ.


Advertisement
વિદ્યુતશક્તિ વિશે ટુંકમાં લખો. 

Advertisement