CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચૂનાના પથ્થરનાં ઉપયોગો જણાવો.
આપણા ઘરમાં પંખા, ટેલિવિઝન, રેડિયો, વૉશિંગમશિન, ફ્રિજ, ટ્યુબલાઈટસ વગેરેને ચલાવવા વિદ્યુતશક્તિની જરૂર પડે છે. પર્યાવરણનાં તત્વોનો ઉપયોગ કરી માનવીએ સંચાલન શક્તિ, ઔદ્યોગિક વિકાસના પાયામાં વિદ્યુતશક્તિ રહેલી છે. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી વિદ્યુતશક્તિની શોધ થઈ.
ઊર્જાનાં સાધનોને આધારે વિદ્યુતશક્તિના ત્રણ પ્રકર પડે છે : 1. તાપવિદ્યુત, 2. જલવિદ્યુત અને 3. પરમાણુવિદ્યુત.
તાપવિદ્યુત : કોલસો, ખનીજ તેલ કે કુદરતી વાયુનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને ઉત્પન્ન કરાતી વિદ્યુત‘તાપવિદ્યુત’ કહેવામાં આવે છે.
ભારતના કુલ વિદ્યુતઉત્પાદનની આશરે 70% વિદ્યુત તાપવિદ્યુત છે. ભારતમાં 310થી વધુ તાપવિદ્યુતમથકો સ્થાપવામાં આવ્યાં છે. તેમાં મુખ્યત્વે કોલસો વપરાય છે, કારણ કે તે ભારતમાં મોટા પાયે ઉપલબ્ધ હોવાથી પ્રમાણમાં સસ્તો છે.
તાપવિદ્યુતમથકોમાં લાખો ટન કોલસો વપરાય છે, એટલે તેનું પરિવહન ખર્ચ ઓછું કરવા, સામાન્ય રીતે કોલસાના ક્ષેત્રમાં જ તાપવિદ્યુતમથક સ્થાપવામાં આવે છે.
ભારતમાં મુખ્યત્વે તાપવિદ્યુત પર આધાર રાખતાં રાજ્યો ગુજરાત, અસમ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમબંગાળ છે. મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્લી પણ સારા પ્રમાણમાં તાપવિદ્યુત ઉત્પન્ન કરે છે.
જલવિદ્યુત : નદીનાં ધોધના સ્થળે કે ઊંચા સ્થળે જમા કરેલા પાણીને પાઈપ દ્વારા નીચે વહેવડાવીને તેની ગતિશક્તિ દ્વારા ટર્બાઈન ચલાવી ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુત‘ જલવિદ્યુત’ કહેવામાં આવે છે.
તેના ઉત્પાદનમાં માત્ર પાણીનો ઉપયોગ થતો હોવાથી કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. વળી, આ પાણી વૃષ્ટિ દ્વારા મળ્યા કરતું હોવાથી અખૂટ શક્તિસાધન છે.
જલવિદ્યુતના ઉત્પાદન માટે પાણીનો એકધારો પુરવઠો અને જળધોધ માટે પર્વતીય ભૂપૃષ્ઠ જરૂરી છે.
ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરલ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ વગેરે રાજ્યોમાં જલવિદ્યુતનું ઉત્પાદન વધુ થાય છે.
ગુજરાતમાં સરદાર સરોવર, કડાણા અને ઉકાઈ ખાતે જલવિદ્યુત મથકો છે.
નર્મદા નદી પરની ‘સરદાર સરોવર’ યોજનામાં જલવિદ્યુતમથકો 1450 મેગાવૉટ વિદ્યુત ઉત્પન્ન કરશે.
પરમાણુવિદ્યુત : યુરેનિયમ અને થોરિયમ જેવાં કિરણોત્સર્ગી તત્વોના પરમાણુ વિભાજનથી એ વિરાટ ગરમીશક્તિ પેદા થાય છે., તેનો ઉપયોગ પરમાણુવિદ્યુત ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે.
એક અંદાજ પ્રમાણે 450 ગ્રામ યુરેનિયમના પરમાણુ વિભાજનથી આશરે 120 લાખ કિલોવૉટ વિદ્યુતશક્તિ મળે છે.
ભારતમાં છ પ્રમાણુ વિદ્યુતમથકો છે : મહારાષ્ટ્રમાં તારપુર, તમિલનાડુમાં કલ્પક્કમ, રાજસ્થાનમાં કોટા પાસે રાવતભાટા, ઉત્તર પ્રદેશમાં મથુરા પાસે નરોરા, ગુજરાતમાં કાકરાપાર અને કર્ણાટકમાં કૈગા. તેમની કુલ વિદ્યુત ઉત્પાદનની વાર્ષિક ક્ષમતા 2720 મેગાવૉટ જેટલી છે.