CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે મુજબ છે.
જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેક પૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે.
બીજી જરૂર જળસંચયની છે. જળસંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરવતા નદી-બેસીનમાં જળનું સ્થળંતર અને ભુમિગત જળસ્તર ઉપર લાવવાન પ્રયાસો કરવાની જરૂર છે.
જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે.
આ અંગે કોઈ આંતરરાજ્ય જળવિવાદ હોય તો તેનો ઉકેલ લાવવો જરૂરી છે. જેથી નદીઓ પર બંધ બાંધીને થતાં જળાશયોનું નિર્માણ અટકી ન પડે.
જળ સંસાધનોની જાળવણી માટે ‘જળપ્લાવીત ક્ષેત્રોનો વિકાસ’ અને ‘વૃષ્ટિજળ સંચય’ બહુ અગત્યના ઉપાયો છે.