CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર જળસંકટ સર્જાયું છે, જે નીચે મુજબ છે :
ભારતમાં પાણી-પુરવઠો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળાં વિસ્તારોમાં વરંવાર પાણીની તંગી સર્જાય છે.
પશ્ચીમ રજસ્થાન અને વાયવ્ય ગુજરાતમાં શુષ્ક ક્ષેત્રો તેમજ વિકલ્પીય ઉચ્ચપ્રદેશમાં પશ્ચિમઘાટના વર્ષાછાયાના પ્રદેશોમાં જળસંકટની ગંભીર સમસ્યા છે.
ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તિવધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડીયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપી વધારો થએ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે.
આજે પણ ભારતમાં 8% શહેરમાં અને લગભગ 50 % ગામડામાં પીવાલાયક પાણીની અછત છે.
પાણીની સિંચાઈની અને અન્ય જરૂરીયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભુમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભુમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભુમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે.
આ, ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ કથળી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદુષણ ઘણું વધી ગયું છે.