Chapter Chosen

ભારતનો વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વારસો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.

વૈદિકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો.

પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.

Advertisement
પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.

પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન:
 
પ્રાચીન ભારતની સિંધુખીણ સંસ્કૃતિનના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવે છે.

કૃષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.

10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુશિલ્પો તૈયાર થયાં.

આ સમયમાં તૈયાર થેયેલું મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઇના સંગ્રહાલયમાં સંગૃહીત છે.

ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુપ્રતિમા સંગૃહીત છે.

ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુપ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મલી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુવિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે.

ધાતુઓમાંથી બનાવેલાં કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુશિલ્પોમાં મહત્વનાં ગણાય છે.


Advertisement
ટુંક નોંધ લખો: પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર

Advertisement