‘ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે.’ તેની સ્પષ્ટતા કરો.
પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલાં પશુઓના ચામડાનો ચર્મઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો.
ચામડાને જુની પદ્ધતિઓથી કમાવવામાં આવતાં.
ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશકો, લુહારની ઢોલ, નગારાં, ઢોલક, તબલાં જેવા સંગીતનાં સાધનો, લુહારની ધમણો, પરગરખાં, પાલતું પ્રાણીઓને બાંધવનાં સાધનો, યુદ્ધમાં વપરતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવે છે.
આજે ભરતગૂંથળ વાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાનાં પાકીટ. પટ્ટા તેમજ ઊંટ-ઘોડાના સાજ, પલાણ, લગમ, ચાબુક માટેની દોરી જેવાં સાધનો ચર્મઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે.
પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચમડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા, આમ, ચર્મકાય એ ભારતની ઘણી જૂની કારીગરી છે.