Chapter Chosen

ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ધોળાવિરા વિશે માહિતી આપો. 

મોહેં-જો-દડોની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.

Advertisement
ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો. 

ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે.

જુનાગઢ ગુફાઓ : જુનાગઢમાં આ ત્રણ ગુફાસમૂહ આવેલા છે. (1) બાવપ્યારાનો ગુફાસમૂહ : આ ગુફાઓ બાવાપ્યારાન મઠ પાસે આવેલી છે. તે ત્રણ હરોળમાં પથરાયેલી છે, તેમજ એકબીજી સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ અહીં કુલ 16 ગુફાઓ છે. તે ઈ.સ.ની શરૂઆત એક-બે સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે. (2) ઉપરકોટની ગુફાઓ: આ ગુફાઓ બે માળની છે. ઉપરના માળ પર જવા માટે પગથિયાં છે. તે ઈ.સ. બીજી સદીના ઉત્તરાર્ધથી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું મનાય છે. (3) ખાપરા-કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ : આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે. અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓઅ ઈ.સ. ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે.

ખંભાલીડા ગુફાઓ : રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે. તે ઈ.સ. 1959માં શાંધાઈ હતી. તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ, ગુફાના પ્રવેશમાર્ગની બંને બાજુ વૃક્ષને આશ્રયે ઉભેલા બિધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધાં સ્થાપત્યો ઈ.સ. ની બીજી સદીનાં છે.

તળાજા ગુફાઓ : ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજા ડુંગર આવેલ છે. તે ‘તાલધ્વજગિરિ’ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્યકલામાં વિશાળ દરવાજો મુખ્ય છે. અહીંનાં ‘અભેલમંડપ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ-સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. બૌદ્ધ ધર્મનાં સ્થાપત્યોની આ ગુફાઓ ઈ.સ.ની ત્રીજી સદીની છે.

સાણા ગુફાઓઅ : આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિતા ગામ પાસે રૂપેણ નદી ઉપરના સાણાના ડુંગરો ઉપર આવેલી છે. અહીં મધપુડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે.

ઢાંક ગુફાઓ : આ ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગિરિ નામના પર્વત પર આવેલી છે. તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે.

ઝીંઝુરીઝર : ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદસર પાસેની ઝેંઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓઅ આવેલી છે. તે ઈ.સ.ની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે.

કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ : આ ગુફાઓઅ કચ્છના લખતત તાલુકામાં જુના પાટગઢ પાસેના પહાડમાં 2 ગુફાઓ આવેલી છે. ઈ.સ. 1967માં શ્રી કે.કા.શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી.

કડિયા ડુંગર ગુફા : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયાડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે. તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્યકલાના ઉતમ નમૂના ગણાય છે. આ ગુફાઓ સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન છે. અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિહંસ્તંભ છે. સ્તંભના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિહાંકૃતિ છે.


Advertisement
ગોપુરમ સ્થાપત્યોનું મહત્વ સમજાવો. 

પ્રાચીન ભારતનું નગર-આયોજન સમજાવો. 

Advertisement