Chapter Chosen

ભારતનો સાંસ્કૃતિક વારસો: શિલ્પ અને સ્થાપત્ય

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ધોળાવિરા વિશે માહિતી આપો. 

ધોળાવિરા ભૂજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે.



તે હડપ્પાનગરનું સમકાલિન મોટું અને વ્યવસ્થિત નગર છે.

ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલૉજીકલ સર્વે ઑફ ઈન્ડિયનના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યાર પછી ઈ.સ. 1990માં પુરાતત્વવિદ રવીંદ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામં આવ્યું હતું.

ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.

નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દીવાલોવાળી છે. આ દીવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે.

નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્દભૂત છે.

આમ, ધોળાવીરાની નગરરચના વ્યવસ્થિત અને આયોજન પૂર્વક હોવાનું માની શકાય છે.


Advertisement
ગોપુરમ સ્થાપત્યોનું મહત્વ સમજાવો. 

ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો. 

પ્રાચીન ભારતનું નગર-આયોજન સમજાવો. 

મોહેં-જો-દડોની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.

Advertisement