CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ધોળાવિરા ભૂજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે.
તે હડપ્પાનગરનું સમકાલિન મોટું અને વ્યવસ્થિત નગર છે.
ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલૉજીકલ સર્વે ઑફ ઈન્ડિયનના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યાર પછી ઈ.સ. 1990માં પુરાતત્વવિદ રવીંદ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામં આવ્યું હતું.
ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દીવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે.
નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દીવાલોવાળી છે. આ દીવાલો બનાવવામાં પથ્થર, ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે.
નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્દભૂત છે.
આમ, ધોળાવીરાની નગરરચના વ્યવસ્થિત અને આયોજન પૂર્વક હોવાનું માની શકાય છે.