CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
1 ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઇ.સ. 1947માં ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’ સ્ટાન્ડર્ડ્ઝ’ના નામે ઓળખાય છે.
પોતાના માલની યોગ્ય ગુણવત્ત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.
2 મધ, ઘી, મરી-મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વનપેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત-ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર ‘એગમાર્ક’ લગાવવામાં આવે છે.
‘ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો-1937’ને ઇ.સ. 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે.
આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક ‘માર્કેટિંગ ઇન્ટેલિજન્સ’ સંસ્થા કરે છે.
આ સંસ્થા ઉત્પાદકોને IAS કે Agmark વાપરવાનો પરવાનો આપે છે.
જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે.
3 સોનાના દાગીના પર BIS માર્કો હોય છે. તેની સાથે 22 કૅરેટ સોનાની શુદ્વતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો ‘હોલમાર્ક’નો લોગો હોય છે. આ ઉપરાંત, દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહન હોય છે. દા. ત., J નું ચિહન ઇ.સ. 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે.
દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો હોય છે, જે શુદ્વતા અને ગુણવત્તાની ગૅરંટી આપે છે.
4 ટીનમાં પૅક કરેલાં ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર એફ.પી.ઓનો માર્કો લગાડવામાં આવે છે.
5 ટેક્ષ્ટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર આઇ.એસ.આઈ.નો માર્કો લગાડવામાં આવે છે.
6 ઊનની બનાવટો અને તેના પોશાક પર વુલમાર્ક માર્કો લગાવવામાં આવે છે.
7 માંસ અને માંસની બનાવટો પર એમ.પી.ઓનો માર્કો લગાડવામાં આવે છે.
8 યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકની બનાવટો પર એચ.એ.સી.પી નો માર્કો લગાડવામાં આવે છે.
9 સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઈલ, પૅકેજિંગ મટીરિયવલ, રંગ-રસાયણો, પાવડર કોટિંગ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાંની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઇ.સી.ઓનો માર્કો લગાડવામાં આવે છે.
ઉપર્યુક્ત દરેક માર્કો લગાવવાની મંજૂરી BISદ્વારા આપવામાં આવે છે.