Chapter Chosen

ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો.

1 ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઇ.સ. 1947માં ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ’ સ્ટાન્ડર્ડ્ઝ’ના નામે ઓળખાય છે.

પોતાના માલની યોગ્ય ગુણવત્ત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.

2 મધ, ઘી, મરી-મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વનપેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત-ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર ‘એગમાર્ક’ લગાવવામાં આવે છે.

‘ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો-1937’ને ઇ.સ. 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે.

આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક ‘માર્કેટિંગ ઇન્ટેલિજન્સ’ સંસ્થા કરે છે.

આ સંસ્થા ઉત્પાદકોને IAS કે Agmark વાપરવાનો પરવાનો આપે છે.

જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો તે BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે.

3 સોનાના દાગીના પર BIS માર્કો હોય છે. તેની સાથે 22 કૅરેટ સોનાની શુદ્વતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો ‘હોલમાર્ક’નો લોગો હોય છે. આ ઉપરાંત, દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહન હોય છે. દા. ત., J નું ચિહન ઇ.સ. 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે.

દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો હોય છે, જે શુદ્વતા અને ગુણવત્તાની ગૅરંટી આપે છે.

4 ટીનમાં પૅક કરેલાં ફળો કે ફળોની બનાવટો અને શાકભાજીની બનાવટો પર એફ.પી.ઓનો માર્કો લગાડવામાં આવે છે.

5 ટેક્ષ્ટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર આઇ.એસ.આઈ.નો માર્કો લગાડવામાં આવે છે.

6 ઊનની બનાવટો અને તેના પોશાક પર વુલમાર્ક માર્કો લગાવવામાં આવે છે.

7 માંસ અને માંસની બનાવટો પર એમ.પી.ઓનો માર્કો લગાડવામાં આવે છે.

8 યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકની બનાવટો પર એચ.એ.સી.પી નો માર્કો લગાડવામાં આવે છે.

9 સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઈલ, પૅકેજિંગ મટીરિયવલ, રંગ-રસાયણો, પાવડર કોટિંગ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાંની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઇ.સી.ઓનો માર્કો લગાડવામાં આવે છે.

ઉપર્યુક્ત દરેક માર્કો લગાવવાની મંજૂરી BISદ્વારા આપવામાં આવે છે.


Advertisement
ભાવનિયંત્રણ માટેના મુખ્ય બે ઉપયોની સમીક્ષા કરો.

ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો.

ભાવવૃદ્વિનાં કારણોની વિગતે ચર્ચા કરો.

ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે (છ મુદ્દા) સવિસ્તર સમજાવો.

ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે – સમજાવો.

Advertisement