CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વહીવટી હેતુસર જંગલોના પ્રકારો : વહીવટી હેતુસર જંગલોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે. 1 : અનામત જંગલો (આરક્ષિત જંગલો), 2. સંરક્ષિત જંગલોજંગલો અને 3. અવર્ગીકૃત જંગલો.
અનામત જંગલો (આરક્ષિત જંગલો) : જે જંગલોને ઈમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલાં હોય તેને ‘અનામત’ ‘આરક્ષિત’ કે ‘સુરક્ષિત’ જંગલો કહેવામાં આવે છે.
તેમાં વૃક્ષોને કાપવાની, લાકડાં વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી.
આ જંગલો સરકારી તંત્રન સીધા નિયંત્રણમાં હોય છે.
તે ભારતનાં જંગલોનાં કુલ વિસ્તારના 54.4 % રોકે છે.
સંરક્ષિત જંગલો : ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડાં વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે.
આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે.
તે ભારતના કુલ વનવિસ્તારના 29.2% રોકે છે.
અવર્ગીકૃત જંગલો : જે જંગલવિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આયા નથી, તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે.
તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી.
તે ભારતના કુલ વનવિસ્તારના 16.4% રોકે છે.
(!!) મલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોનાં પ્રકારો : 1. રાજ્યની માલિકીનું જંગલ : આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશનાં મોટા ભાગમાં જંગલો આ પ્રકારનાં હોય છે.
2. સામુદાયિક જંગલ : આ પ્રકારનાં જંગલો પર ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ થાય છે.
3. ખાનગી જંગલ : આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીનાં હોય છે. આ પ્રાકરનાં મોટા ભાગનાં જંગલો ક્ષત – અક્ષત કે ઉજ્જડ બની ગયાં છે. દેશનાં ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલાં છે.