લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે?
લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં ગંદકેશ્વર કહેતા હોય છે, તેમ છતાં એની દુર્ગંધ સાથે તેમને એક ઘરોબો કેળવાઈ ગયો છે. અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં ભેખડવતી નર્મદા આવે છે. તેમણે અહીં ઉચ્ચાસને બેસીને અનેક વાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે. અસ્તાચળ પર્વત સુધી પહોંચેલો સૂર્ય આ ક્ષિતિજ જાળવતી નર્મદાની સપાટી પર છેક એમના સુધી લાલ કાર્પેટ બિછાવી સ્વાગત કરતો હોય એવું તેમને લાગતું. તેઓ આ રાજમાર્ગ પર ટપટપ કરતાં દોડીને નર્મદાને મળવા જતાં ત્યાં તો એ લાલ કાર્પેટ ગાયબ થઈ જતી. નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જોવા મળતું. લેખકને આ ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર પ્રિય છે.