દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો.
દીકરી પારકું ધન નથી કે પારકી થાયણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે. તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઇએ, જેવી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી-મધુરી વાણીથી સૌનાં દિલ જીતી શકે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ.