શ્રીમદ્ રાજચંદ્રના જન્મ અને તેમના કુટુંબનો પરિચય આપો.
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વિ. સં. 1924 કાર્તિક પૂનમ દેવદિવાળીના દિવસે તા. 09/11/1867ના રોજ વાવણિયા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. જન્મસમયે શ્રીમદ્ નું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું હતું, પણ ચાર વર્ષની ઉંમરે તેમનું નામ બદલીને રાયચંદ રાખવામાં આવ્યું હતું. તેમના દાદા પંચાણભાઈ કૃષ્ણભક્ત હતા. આથી તેમને પિતા તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા. તેમને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા.