Chapter Chosen

શિકારીને

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે?
  • સંતોનો

  • પ્રકૃતિનો 

  • પ્રાણીઓનો 

  • શિકારીઓનો


સૌંદર્ય પામવા માટે શેની જરૂર છે?
  • સંહાર કરવાની

  • સુંદર બનવાની, સૌંદર્યદ્રષ્ટિ કેળવવાની 

  • પક્ષી સાથે રમવાની 

  • વનસ્પતિ ઉગાડવાની


સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?
  • દરિયાકિનારાની માનવ મેદનીમાં

  • સભા-સરઘસમાં 

  • પંખીઓ, ફુલો, લતા-વેલ, ઝરણાં, વૃક્ષો વગેરે પ્રકૃતિતત્વોમાં 

  • સિનેમાગૃહમાં


‘બધે છે આર્દ્રતા છાઈ તેમાં કૈં ભળવું ભલું.’ એટલે શું?
  • સૌ પ્રત્યે અનુકંપો રાખવી

  • ગીતો સાંભળવાં 

  • મિત્રભાવ રાખવો 

  • શિકાર કરવો 


Advertisement
‘શિકારીને’ કાવ્યનો ભાવાર્થ સમજાવો.

કાવ્યના આરંભે ‘રહેવા દે! રહેવા દે’ એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રુર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. આથી પક્ષીનો કે કોઈનો સંહાર કરવો એ પરમાત્માનો સંહાર કરવા બરબાર છે. એમ કરવાથી માણસને તેનું મૃત શરીર મળે છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફુલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરે અનેક પ્રકૃએતિતત્વોનું સૌંદર્ય ભરેલું છે. એનો સંહાર કરવાથી એમાં રહેલાં સૌંદર્ય ભરેલું છે. એનો સંહાર કરવથી એમાં રહેલાં સૌંદર્યનો નાશ થાય છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્યદ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહ્યદયભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં ‘વસુધૈવકુટુંબકમ્’ની ભાવના રહેલી છે.

Advertisement
Advertisement