Chapter Chosen

આપણું પર્યાવરણ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ઓઝોન સ્તર અને તેમા ઘટાડો વિસ્તારથી સમજાવો.


Advertisement

નિવસનતંત્રનાં કાર્ય જણાવી, કોઈ એક કાર્ય સમજાવો. અથવા નિવસનતંત્રમાં શક્તિનું વહન સમજાવો.


નિવસનતંત્રનાં કાર્ય : (1) શક્તિનું એકમાર્ગી વહન અને (2) પોષક દ્રવ્યોનું ચક્રીય વહન.

નિવસનતંત્રમાં શક્તિનું વહન : આહારશૃંખલાના દરેક પગથિયા પોષક સ્તર સ્વરૂપે જોવા મળે છે. તેમાં શક્તિના વાહનની શરૂઆત ઉત્પાદકોથી થાય છે.

પ્રથમ પોષક સ્તરે હરિદ્રવ્ય ધરાવતા સજીવો (લીલી વનસ્પતિઓ) પ્રકાશશક્તિનું શોષણ કરી પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા ખોરાકરૂપે રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે.

આ શક્તિ તૃણાહારીઓમાં અને તેમાંથી માંસાહારીઓ તરફ ખોરાક સ્વરૂપે ક્રમશઃ વહન પામે છે. આમ, શક્તિનું વહન ઉત્પાદક સજીવોમાંથી ઉપભોગી સજીવોની વિવિધ કક્ષાઓ તરફ થાય છે. આથી લીલી વનસ્પતિઓ નિવસનતંત્રમાં સૂર્યશક્તિના પ્રવેશદ્વાર તરીકે તેમજ ઉપભોગી સજીવો માટે શક્તિનો એકમાત્ર સ્ત્રોત છે. જીવંત વિશ્વની બધી જ ક્રિયાઓ માટે રાસાયણિક શક્તિ મદદરૂપ છે.

નિવસનતંત્રમાં શક્તિનો પ્રવાહ હંમેશાં એકમાર્ગી હોય છે. લીલી વનસ્પતિઓ દ્વારા પ્રકાશસંશ્લેષણમાં મેળવાયેલી શક્તિ સૂર્ય તરફ પાછી વહન પામતી નથી. તૃણાહારીઓ દ્વારા વનસ્પતિમાંથી મેળવાયેલી શક્તિ સ્વાવલંબી તરફ પાછી જતી નથી.

આમ, શક્તિનું વહન ક્રમશઃ ઉપલા પોષક સ્તરો તરફ થાય છે અને તે નીચલા પોષક સ્તર તરફ પાછી ફરતી ન હોવાથી પ્રાપ્ત થતી નથી.


Advertisement

ટૂંક નોંધ લખો :
ઉપભોગી સજીવો


ટુંક નોંધ લખો :
નિવસનતંત્ર


ટૂંક નોંધ લખો : પર્યાવરણ


Advertisement