Chapter Chosen

આપણું પર્યાવરણ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

ટૂંકી સમજૂતી લખો :
જૈવિક વિશાલન 


આહારના સંબંધોને અનુરૂપ સજીવો પરસ્પ આધારિત રહી આહારશૃંખલા રચે છે.

આ આહારશૃંખલા દ્વારા શક્તિ અને દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરો તરફ વહન પામે છે. જો કોઈ જૈવ-અવિઘટનીય દ્રવ્ય નિવસનતંત્રના જૈવ ઘટકોમાં પ્રવેશી જાય, તો ક્રમશઃ ઉપલા પોષક સ્તરે તેનું સંકેન્દ્રણ વધતું જાય છે.

દા. ત., રોગો કે કીટકોથી કૃષિ-પાકોને રક્ષણ આપવા જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ કરવામાં આવે છે. તેથી જમીન અને પાણીમાં આ રસાયણોનું પ્રમાણ વધે છે. આવાં રસાયણો જમીન કે પાણીમાંથી વનસ્પતિઓના દેહમાં પ્રવેશી, આહારશૃંખલાના માર્ગે તૃણાહારીઓ, માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારીઓમાં પ્રવેશે છે. આ રસાયણો વિઘટન પામતા ન હોવાથી દરેક પોષક સ્તરે તેમનું સંકેન્દ્રણ વધતું રહે છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહેવાય છે.


Advertisement

ઓઝોન સ્તર અને તેમા ઘટાડો વિસ્તારથી સમજાવો.


ટૂંક નોંધ લખો :
ઉપભોગી સજીવો


ટૂંક નોંધ લખો : પર્યાવરણ


ટુંક નોંધ લખો :
નિવસનતંત્ર


નિવસનતંત્રનાં કાર્ય જણાવી, કોઈ એક કાર્ય સમજાવો. અથવા નિવસનતંત્રમાં શક્તિનું વહન સમજાવો.


Advertisement