દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે પરિણમતી પ્રણાલીને દ્રાવણ કહે છે.
દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક અને દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહે છે.
દા. ત., મીઠાના જલીય દ્રાવણમાં મીઠું દ્રાવ્ય છે અને પાણી દ્રાવક છે અહીં, મીઠાના દ્રાવણની ખારાશ દ્રાવક અને દ્રાવ્ય બંનેના સાપેક્ષ જથ્થા પર આધાર રાખે છે.
આમ, “દ્રાવણમાં દ્રાવકના જથ્થાના પ્રમાણમાં દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે.”
દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે સપ્રમાણતા (નોર્માલિટી), મોલારિટી, મોલાલિટી, ફૉર્માલિટી,
ppm અને ટકાવાર પ્રમાણ જેવા એકમો વપરાય છે.
દ્રાવણની મોલારિટી એટલે મોલ/લિટરમાં સાંદ્રતા.
1 લિટર દ્રાવણમાં
1 મોલ દ્રાવ્ય ઓગળેલો હોય, તો તે દ્રાવણની સાંદ્રતા 1 મિલારિટી
(1M) છે એમ કહેવાય.
દા. ત.,
2 M, મીઠું
(NaCI)નો અર્થ
1 લિટર દ્રાવણમાં
2 મોલ
NaCI છે.
આ જ પ્રમાણે,
500 મિલિ પાણીમાં
1 મોલ ગ્લુકોઝને ઓગાલતાં તે દ્રાવણની સાંદ્રતા
2 M ગણાય છે.
સૂત્ર મુજબ આણ્વીય દળનો એકમ ગ્રામ/મોલ થશે.
આમ, ઉપરોક્ત સૂત્ર મુજબ “ કોઈ પણ પદાર્થનો
1 મોલ જથ્થો લેવો હોય, તો તેના ગ્રામ આણ્વીય દળ જેટલો જથ્થો લેવો પડે.”
જો પદાર્થ તત્ત્વ કે આયનરૂપે હોય, તો આણ્વીય દળને બદલે પરમાણ્વીય દળને ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે વીજભારની સંખ્યાને કારણે તેના દળમાં કોઈ ફેરફાર થતો નથી.
ટૂંકમાં,
1 મોલ
Na = 1 મોલ
Na+ = 23 ગ્રામ
Na તથા
1 મોલ
CI =1 મોલ
CI- =35.5 ગ્રામ
CI આમ,
3 M NaCI નું જલીય દ્રાવણ બનાવવા
3 X 58.5 = 175.5 ગ્રામ
NaCl લેવો પડે.
175.5 ગ્રામ NaCl લઈ તેને થોડા પાણીમાં ઓગાળી દીધાં બાદ વધારાનું પાણી ઉમેરી દ્રાવણનું કુલ કદ
1 લિટર કરે
3 M NaCI નું દ્રાવણ બનાવી શકાય.
જો આ દ્રાવણ
1 લિટરને બદલે
250 મિલિ બનાવવું હોય, તો
175.5/4 = 43.88 ગ્રામ
NaCI ના જથ્થાને પાણીમાં ઓગાળી દ્રાવણનું કુલ કદ
250 મિલિ કરવું પડે.