દ્રાવણની pH : રાસાયણિક અને જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં હાઈડ્રોજન આયન
H+ની સાંદ્રતા મહત્ત્વનો ભાગ ભજવે છે.
કેટલીક અગત્યની પ્રક્રિયાઓ હાઈડ્રોજન આયનની ઓછી સાંદ્રતાથી નિયંત્રિત કરી શકાય તેવી હોય છે.
જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયન
H+અથવા હાઈડ્રોનિયમ આયન
H3O+ની મોલારિટીમાં સાંદ્રતા ખૂબ જ ઓછી હોય છે.
આમ, જલીય દ્રાવણમાં હાઈડ્રોનિયમ
aayananii સાંદ્રતાને મોલારિટીમાં દર્શાવવાથી પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ઈ. સ.
1909માં ડેન્માર્કના જૈવરસાયણ વૈજ્ઞાનિક એસ. પી. એલ. સોરેન્સને જલીય દ્રાવણમાં હાઈડ્રોનિયમ આયનની સાંદ્રતા દર્શાવવાની વધુ સરળ અને અનુકૂળ રીત સૂચવી જે
pH માપક્રમ તરીકે ઓળખાય છે.
pH માપક્રમ : સામાન્ય રીતે pH, જલીય દ્રાવણમાં હાઈડ્રોનિયમ આયનની સાંદ્રતા દર્શાવે છે.
“જલીય દ્રાવણમાંના
H3O+ની મોલર સાંદ્રતાના
10 ના આધારના ઋણ લઘુગણકને તે દ્રાવણની
pH કહે છે.”
ટૂંકમાં,
pH = -log10 [H3O+] જલીય દ્રાવણમાં દ્રાવક તરીકે નિસ્યંદિત પાણી વપરાય છે.
પાણીનું સ્વયં આયનીકરણ થઈ
H3O+ના
OH-આયન ઉત્પન્ન થાય છે.
H2O + H2O H30 + OH-પ્રાયોગિક રીતે પુરવાર થયું છે કે
298 K તાપમાને નિસ્યંદિત પાણીમાં હોય છે.
પાણીમાં
[H3O+] = [OH-] = 1.0 X 10-7 M હોય છે.
[H3O+] X [OH-] = 1.0 X 10-7 X 1.0 X 10-7
=1.0 X 10-14 M બંને બાજુ લઘુગણક લેતાં,
આમ,
298 K તાપમાને કોઈ પણ જલીય દ્રાવણના
pH અને
pOH નાં મૂલ્યોનો સરવાળો
14.0 થશે.જો દ્રાવણમાં
H3O+ની સાંદ્રતા વધે, તો તે દ્રાવણની
pH ઘટે છે.
આમ, દ્રાવણની ઍસિડિકતા માટે
H3O+ અને બેઝિકતા માટે
OH- ની સાંદ્રતા જવાબદાર છે.
આથી ઍસિડિક દ્રાવણ માટે
pHનું મૂલ્ય
7.0 કરતાં ઓછું, તટસ્થ દ્રાવણ માટે
pHનું મૂલ્ય
7.0 અને બેઝિક દ્રાવણ માટે
pHનું મૂલ્ય
7.0 કરતાં વધુ હોય છે.