Chapter Chosen

ઍસિડ, બેઈઝ અને ક્ષાર

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

સમજાવો : દ્રાવણની pH અને pH માપક્રમ


દ્રાવણની pH : રાસાયણિક અને જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં હાઈડ્રોજન આયન H+ની સાંદ્રતા મહત્ત્વનો ભાગ ભજવે છે.

કેટલીક અગત્યની પ્રક્રિયાઓ હાઈડ્રોજન આયનની ઓછી સાંદ્રતાથી નિયંત્રિત કરી શકાય તેવી હોય છે.

જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયન H+અથવા હાઈડ્રોનિયમ આયન H3O+ની મોલારિટીમાં સાંદ્રતા ખૂબ જ ઓછી હોય છે.

આમ, જલીય દ્રાવણમાં હાઈડ્રોનિયમ aayananii સાંદ્રતાને મોલારિટીમાં દર્શાવવાથી પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ઈ. સ. 1909માં ડેન્માર્કના જૈવરસાયણ વૈજ્ઞાનિક એસ. પી. એલ. સોરેન્સને જલીય દ્રાવણમાં હાઈડ્રોનિયમ આયનની સાંદ્રતા દર્શાવવાની વધુ સરળ અને અનુકૂળ રીત સૂચવી જે pH માપક્રમ તરીકે ઓળખાય છે.

pH માપક્રમ : સામાન્ય રીતે pH, જલીય દ્રાવણમાં હાઈડ્રોનિયમ આયનની સાંદ્રતા દર્શાવે છે.

“જલીય દ્રાવણમાંના H3O+ની મોલર સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુગણકને તે દ્રાવણની pH કહે છે.”

ટૂંકમાં, pH = -log10 [H3O+]

જલીય દ્રાવણમાં દ્રાવક તરીકે નિસ્યંદિત પાણી વપરાય છે.

પાણીનું સ્વયં આયનીકરણ થઈ H3O+ના OH-આયન ઉત્પન્ન થાય છે.

H2O + H2O  bold rightwards harpoon over leftwards harpoon H30 + OH-

પ્રાયોગિક રીતે પુરવાર થયું છે કે 298 K તાપમાને નિસ્યંદિત પાણીમાં હોય છે.

પાણીમાં [H3O+] = [OH-] = 1.0 X 10-7 M હોય છે. 

[H3O+] X [OH-] = 1.0 X 10-7 X 1.0 X 10-7 


                               =1.0 X 10-14


બંને બાજુ લઘુગણક લેતાં,

આમ, 298 K તાપમાને કોઈ પણ જલીય દ્રાવણના pH અને pOH નાં મૂલ્યોનો સરવાળો 14.0 થશે.

જો દ્રાવણમાં H3O+ની સાંદ્રતા વધે, તો તે દ્રાવણની pH ઘટે છે.

આમ, દ્રાવણની ઍસિડિકતા માટે H3O+ અને બેઝિકતા માટે OH- ની સાંદ્રતા જવાબદાર છે.

આથી ઍસિડિક દ્રાવણ માટે pHનું મૂલ્ય 7.0 કરતાં ઓછું, તટસ્થ દ્રાવણ માટે pHનું મૂલ્ય 7.0 અને બેઝિક દ્રાવણ માટે pHનું મૂલ્ય 7.0 કરતાં વધુ હોય છે.


Advertisement

ઍસિડ અને બેઈઝ શેમાંથી અને કેવી રીતે બને છે ?


રૉબર્ટ બૉઈલના મત મુજબ ઍસિડ અને બેઈઝના ગુણધર્મો લખો.


સમજાવો : દ્રાવણ અને તેની સાંદ્રતા


આપણા રોજિંદા જીવનમાં વપરતાં ઍસિડ, બઈઝ અને ક્ષારનાં નામ લખી તેમનાં જલીય દ્રાવણોની અગત્ય લખો.


Advertisement