CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમજાવો : ક્રિયાશીલ સમૂહ
કાર્બનિક સંયોજનોની લાક્ષણિકતા પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય છે તે પરમાણુ કે પરમાણુઓના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે.
કાર્બનિક સંયોજનોમાં કાર્બન અને હાઈડ્રોજન ઉપરાંત ઑક્સિજન, નાઈટ્રોજન, સલ્ફર અને હેલોજન જેવા પરમાણુઓ ધરાવતાં ક્રિયાશીલ સમૂહો પણ હોય છે.
એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતાં જુદાં જુદાં કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે.
દા. ત., CH2=CH2+H2 →CH3-CH3
ઈથીન ઈથેન
CH2=CH-CH3 → CH3-CH2-CH3
પ્રોપિન પ્રોપેન
જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતાં સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. દા.ત., સમાન કાર્બન સંખ્યા ધરાવતાં ઈથેન કરતાં ઈથેનોલ અને ઈથેનોઈક ઍસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે, કારણ કે તેમાં ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય છે.
કોઈ પણ કાર્બનિક સંયોજનોની રાસાયણિક ક્રિયાશીલતા તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહને કારણે હોય છે.
દા. ત., આલ્કેન કરતાં તેના અનુવર્તી આલ્કીન અને આલ્કાઈન સંયોજનોની ક્રિયાશીલતા વધુ હોય છે. જેમ કે ઈથેન કરતાં ઈથીન અને ઈથીન કરતાં ઈથાઈનની H2 સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપી હોય છે.
કાર્બનિક રસાયણવિજ્ઞાન એ ખરેખર શેનું બનેલું વિજ્ઞાન છે ?
કાર્બોક્સિલિક ઍસિડ સંયોજનોનું નામકરણ સમજાવો.
નીચેનાં સંયોજનોમાં કયા ક્રિયાશીલ સમૂહો રહેલા છે ?
(1) CH3CH2CH2OH (2) CH3COCH3 (3) CH3CHO (4) CH3CH2COOH (5)CH3CH2CH=CH2
અકાર્બનિક પદાર્થો અને કાર્બનિક પદાર્થો કોને કહે છે ?