CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું ? માનવીની કઈ કઈ જરૂરિયાતો પૃથ્વી પૂરી પાડે છે ?
પર્યાવરણને બચાવવા માટેના ત્રણ ‘R’ સમજાવો.
ટૂંક નોંધ લખો :
પર્યાવરણ બચાવવા માટે Reduce
ટુંકમાં સમજાવો : નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન
પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે. માનવવસતિમાં થતા વધારાથી સ્ત્રોતોની જરૂરિયાતમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. આથી નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે નીચેનાં પગલાં લેવાં જરૂરી છે :
(1) નૈસર્ગિક સ્ત્રોતોનો સમજણપુર્વક ઉપયોગ કરવો જોઈએ.
(2) નૈસર્ગિક સ્ત્રોતોનું સરખા પ્રમાણમાં વિતરણ કરવામાં આવે.
(3) મર્યાદિત સ્ત્રોતોના મર્યાદિત ઉપયોગ દ્વારા વધુ વિકાસનો લાભ મેળવવામાં આવે.
(4) નૈસર્ગિક સ્ત્રોતોના ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતા નુકસાનના યોગ્ય વ્યવસ્થાપનનો નિર્દેશ કરીને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો રસ્તો શોધવો. દા. ત., જો કોઈ કારણસર કેટલાંક વૃક્ષો કાપવા પડે, તો વૃક્ષારોપણ દ્વારા નવા છોડ ઉગાડવાથી પર્યાવરણને થતું નુકસાન ઓછું કરી શકાય.
(5) નૈસર્ગિક સ્ત્રોતોના પ્રદૂષણને અટકાવવામાં આવે.