CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘વાહક પદાર્થમાં મુક્ત ઈલેક્ટ્રૉન ગતિ કરતા હોવા છતાં તેમાં વિધુતપ્રવાહ રચાતો નથી’ સમજાવો.આવા પદાર્થમાં વિધુતપ્રવાહ કેવી રીતે મેળવી શકાય?
કઈ પ્રક્રિયા દ્વારા પદાર્થને વિધુતભારિત કરી શકાય છે?ઉદાહરણ સહિત સમજાવો.
સુવાહક અને અવાહક પદાર્થો કોને કહે છે?
વિધુતપ્રવાહના વહન માટે આવા મુક્ત ઈલેક્ટ્રૉન્સ જવાબદાર હોય છે. જે પદાર્થોમાં મુક્ત ઈલેક્ટ્રૉન્સ મોટી સંખ્યામાં હોય છે, તે પદાર્થોમાં વિધુતપ્રવાહનું વહન સરળતાથી થાય છે.આથી તેમને સુવાહકો કહે છે. દા.ત. તાંબું,ચાંદી, ઍલ્યુમિનિયમ જેવી ધાતુઓને સુવાહક પદાર્થ કહે છે.
જે પદાર્થોમાં મુક્ત ઈલેક્ટ્રૉન્સ હોતા નથી, તેમાં વિધુતપ્રવાહનું વહન થઈ શકતું નથી તેમને અવાહકો કહે છે.દા.ત. રબર ,કાચ, પ્લાસ્ટિક વગેરે.
વિધુતભારો વચ્ચે લાગતું વિધુતીય મુલ્ય કયા નિયમ પરથી મેળવી શકાય છે?
વિધુતભારોની આંતરક્રિયા દરમિયાન તેમની વચ્ચે લાગતું સ્થિત વિધુતિય બળ એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક ચાર્લ્સ કુલંબે આપેલા નિયમ પરથી મેળવી શકાય છે.
કયા પ્રકારના વિધુતભારો વચ્ચે આકર્ષી બળ અને કયા પ્રકારના વિધુતભરો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે? ઉદાહરણ આપો.