કોષપ્રજનનની ક્રિયા અને તેનો ઉત્ક્રાંતિ સાથે સંબંધ સમજાવો.
પ્રજનનમાં કોષની બીજી નકલ તૈયાર કરવાની મૂળભૂત ઘટના છે.
કોષપ્રજનનની ક્રિયામાં પિતૃકોષમાંથી બે બાળકોષો અસ્તિત્વમાં આવે છે. DNA ના સ્વયંજનનની સાથે નવા કોષસર્જનની ક્રિયા શરૂ થાય છે. DNA સ્વયંજનનથી પૂરતી વારસાગત કોષીય માહિતી ધરાવતા DNA ના બે સમૂહો રચાય છે અને તેમની બે બાળકોષમાં વિભાજન થાય છે. અંતે બે બાળકોષોનું નિર્માણ પામે છે.
નિર્માણ પામતા કોષોની ઉત્પત્તિ એક સરખી હોય છે. પરંતુ તેમની સામ્યતાનો આધાર DNA ની માહિતીની ચોક્કસ ક્રમમાં કેવી રીતે નકલ કરવામાં આવે છે. ક્યારેક DNA ની નકલ તૈયાર કરવામાં ભૂલ થાય ત્યારે લક્ષણોમાં ફેરફાર કોષીય તંત્રના મહત્ત્વપૂર્ણ કાર્ય સાથે સુસંગત ન હોય તો કોષ મૃત્યુ પામે છે. પરંતુ આવા ફેરફાર કોષીય તંત્રના સાથે સુસંગત હોય તો લાંબા ગાળે ઉત્ક્રાંતિ યુગનાં વર્ષોમાં ચોક્કસ ફેરફારો થાય છે.