Chapter Chosen

સજીવોમાં પ્રજનન

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

વિભાજન એટલે શું ? વિભાજન આધારે અલિંગી પ્રજનન પદ્વતિના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો.
અથવા
એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સરળ પદ્વતિ અને તેના પ્રકારો સમજવો.


એકકોષી સજીવોમાંથી બે અથવા વધારે નવા બાળકોષોનું સ્વતંત્ર સજીવ તરીકે સર્જન કરવાની પ્રજનન પદ્વતિને વિભાજન કહે છે.

એકકોષી સજીવ બૅક્ટેરિયા અને પ્રજીવોમાં વિભાજન એ અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્વતિ છે.

વિભાજનના બે પ્રકારો છે : (1) દ્વિભાજન અને (2) બહુભાજન

(1) દ્વિભાજન :

તેમાં પિતૃસજીવના કોષનું કોષકેન્દ્ર લંબાઈને બે ભાગમાં વિભાજન પામે છે. ત્યારબાદ કોષરસ પણ બે ભાગમાં વિભાજન પામી, દરેક કોષકેન્દ્ર ફરતે વીંટળાય છે. કોષરસનું વિભાજન સંપૂર્ણ થતાં બે બાળકોષો બને છે. દરેક કોષ પુખ્ત સજીવ તરીકે વિકાસ પામે છે. દા. ત., અમીબા, પેરામીશિયમ.



(2) બહુભાજન

તેમાં પિતૃસજીવોમાં એક જ સમયે થતા વિભાજનથી અનેક નવા સજીવો ઉત્પન્ન થાય છે.

પ્રતિકૂળ સંજોગોમાં પિતૃકોષની ફરતે મજબૂત કવચ(કોષ્ઠ)નું નિર્માણ થાય છે. આ કવચની અંદર કોષકેન્દ્ર અનેક વખત વિભાજન પાને છે અને નવાં બાળકોષકેન્દ્રો બનાવે છે અને તેની ફરતે પાતળું પટલ રચાય છે. આમ, કવચની અંદર એક પિતૃકોષમાં અનેક બાળસંતતિ કોષ તરીકે નિર્માણ પામે છે. અનુકૂળ સંજોગોમાં કવચ તૂટે છે અને અનેક બાળકોષો મુક્ત થાય છે. આ દરેક બાળકોષ સ્વતંત્ર સજીવ (પ્રાણી) તરીકે વિકાસ પામે છે. દા. ત., અમીબા, પ્લાઝ્મોડિયમ.


Advertisement

અલિંગી પ્રજનનની પદ્વતિઓ વિશે લખો.


પ્રજનન એટલે શું ? તેનું મહત્ત્વ લખો. અથવા જાતિઓના અસ્તિત્વ માટે પ્રજનન અનિવાર્ય છે. સમજાવો.

કોષપ્રજનનની ક્રિયા અને તેનો ઉત્ક્રાંતિ સાથે સંબંધ સમજાવો.


શા માટે એક જાતિના સજીવો એકબીજા સાથે સામ્યતા ધરાવતા હોય છે ?


ટૂંક નોંધ લખો : અવખંડન


Advertisement