CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિભાજન એટલે શું ? વિભાજન આધારે અલિંગી પ્રજનન પદ્વતિના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો.
અથવા
એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સરળ પદ્વતિ અને તેના પ્રકારો સમજવો.
એકકોષી સજીવોમાંથી બે અથવા વધારે નવા બાળકોષોનું સ્વતંત્ર સજીવ તરીકે સર્જન કરવાની પ્રજનન પદ્વતિને વિભાજન કહે છે.
એકકોષી સજીવ બૅક્ટેરિયા અને પ્રજીવોમાં વિભાજન એ અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્વતિ છે.
વિભાજનના બે પ્રકારો છે : (1) દ્વિભાજન અને (2) બહુભાજન
(1) દ્વિભાજન :
તેમાં પિતૃસજીવના કોષનું કોષકેન્દ્ર લંબાઈને બે ભાગમાં વિભાજન પામે છે. ત્યારબાદ કોષરસ પણ બે ભાગમાં વિભાજન પામી, દરેક કોષકેન્દ્ર ફરતે વીંટળાય છે. કોષરસનું વિભાજન સંપૂર્ણ થતાં બે બાળકોષો બને છે. દરેક કોષ પુખ્ત સજીવ તરીકે વિકાસ પામે છે. દા. ત., અમીબા, પેરામીશિયમ.
(2) બહુભાજન
તેમાં પિતૃસજીવોમાં એક જ સમયે થતા વિભાજનથી અનેક નવા સજીવો ઉત્પન્ન થાય છે.
પ્રતિકૂળ સંજોગોમાં પિતૃકોષની ફરતે મજબૂત કવચ(કોષ્ઠ)નું નિર્માણ થાય છે. આ કવચની અંદર કોષકેન્દ્ર અનેક વખત વિભાજન પાને છે અને નવાં બાળકોષકેન્દ્રો બનાવે છે અને તેની ફરતે પાતળું પટલ રચાય છે. આમ, કવચની અંદર એક પિતૃકોષમાં અનેક બાળસંતતિ કોષ તરીકે નિર્માણ પામે છે. અનુકૂળ સંજોગોમાં કવચ તૂટે છે અને અનેક બાળકોષો મુક્ત થાય છે. આ દરેક બાળકોષ સ્વતંત્ર સજીવ (પ્રાણી) તરીકે વિકાસ પામે છે. દા. ત., અમીબા, પ્લાઝ્મોડિયમ.
અલિંગી પ્રજનનની પદ્વતિઓ વિશે લખો.
કોષપ્રજનનની ક્રિયા અને તેનો ઉત્ક્રાંતિ સાથે સંબંધ સમજાવો.
શા માટે એક જાતિના સજીવો એકબીજા સાથે સામ્યતા ધરાવતા હોય છે ?
ટૂંક નોંધ લખો : અવખંડન