Chapter Chosen

સજીવોમાં વહન, પરિવહન અને ઉત્સર્જન

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વનસ્પતિમાં પાણીના વહનની સમજૂતી આપો.
                 અથવા
વનસ્પતિમાં મૂળ દ્વારા પાણીનું શોષણ અને ઊર્ધ્વવહન સમજાવો. અથવા જલવાહકમાં પાણીના વાહનની સમજૂતી લખો.


વહન એટલે શું ? જટિલ રચના ધરાવતા સજીવોમાં કયાં કયાં દ્રવ્યોના વહનની જરૂર પડે છે ?


ટુંક નોંધ લખો.
બાષ્પોત્સર્જનથી પાણીનું ઊર્ધ્વવહન


સ્થાનાંતરણ એટલે શું ? અન્નવાહક પેશીમાં પદાર્થોનું સ્થાનાંતરણ સમજાવો.


Advertisement
વનસ્પતિઓમાં વહન સમજાવો. અથવા વનસ્પતિઓમાં વહન ક્રિયામાં પ્રસરણ, વહનતંત્ર અને વાહકપેશીઓની અગત્યતા સમજાવો.

વનસ્પતિઓ વાતાવરણમાંથી CO2 (કાર્બન ડાયૉક્સાઈડ) અને ભૂમિમાંથી પાણી મેળવી પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં સૂર્ય-ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે. આ ક્રિયામાં કાર્બોદિતનું નિર્માણ કરે છે. વનસ્પતિમાં મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને દેહતા બંધારણ માટે જરૂરી કાચા પદાર્થોનું શોષણ થાય છે. આ પદાર્થોનું વનસ્પતિઓના જુદા જુદા ભાગોમાં વહન થવું જરૂરી છે.

પ્રસરણ : જો વનસ્પતિનાં મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ઓછું હોય, તો ઊર્જા અને કાચા પદાર્થો પ્રસરણ ક્રિયા દ્વારા સરળતાથી દેહના બધા ભાગોમાં વહન પામે છે.

વહનતંત્ર : વનસ્પતિઓમાં મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર વધારે હોય ત્યારે મૂળમાં પૂરી પાડવા અને પર્ણોમાં કાચા પદાર્થો પહોંચાડવા પ્રસરણ ક્રિયા પૂરતી નથી. આ પરિસ્થિતિમાં યોગ્ય વહનતંત્ર હોવું જરૂરી છે.

વનસ્પતિઓ પ્રાણીઓની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત થતી નથી. તેથી પ્રાણીઓની સરખામણીમાં વનસ્પતિઓની ઊર્જાની જરૂરિયાત ઓછી હોય છે. આમ છતાં, પર્ણોમાં સંગ્રહાયેલી ઊર્જા અને મૂળ દ્વારા શોષાયેલા પાણી અને કાચા પદાર્થો વનસ્પતિના વિવિધ ભાગોમાં વહન પામે છે.

વાહક પેશીઓ : વનસ્પતિઓમાં બે પ્રકારની વાહક પેશીઓ હોય છે :

(1) જલવાહક પેશી : તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ આયનોનું વહન કરે છે. તેમાં વહન માટેના બંધારણીય ઘટકો જલવાહિનિકી અને અને જલવાહિની છે.

(2) અન્નવાહક પેશી : તે પર્ણોમાંથી પ્રકાશસંશ્લેષણની નીપજોનું વનસ્પતિના અન્ય ભાગોમાં વહન કરે છે. તેમાં વહન માટેના બંધારણીય ઘટકો ચાલનીકોષો અને ચાલનીનલિકા છે.


Advertisement
Advertisement