Chapter Chosen

સજીવોમાં વહન, પરિવહન અને ઉત્સર્જન

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વનસ્પતિમાં પાણીના વહનની સમજૂતી આપો.
                 અથવા
વનસ્પતિમાં મૂળ દ્વારા પાણીનું શોષણ અને ઊર્ધ્વવહન સમજાવો. અથવા જલવાહકમાં પાણીના વાહનની સમજૂતી લખો.


વનસ્પતિઓમાં વહન સમજાવો. અથવા વનસ્પતિઓમાં વહન ક્રિયામાં પ્રસરણ, વહનતંત્ર અને વાહકપેશીઓની અગત્યતા સમજાવો.

Advertisement

સ્થાનાંતરણ એટલે શું ? અન્નવાહક પેશીમાં પદાર્થોનું સ્થાનાંતરણ સમજાવો.


સ્થાનાંતરણ : વનસ્પતિનાં લીલાં પર્ણોમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિતોનું સંશ્લેષણ થાય છે. લીલાં પર્ણોથી આ કાર્બોદિત (પ્રકાશસંશ્લેષણીય નીપજો)નું વનસ્પતિના જુદા જુદા ભાગો તરફ વહન થવાની ક્રિયાને સ્થાનાંતરણ કહે છે.

અન્નવાહક પેશીમાં પદાર્થોનું સ્થાનાંતરણ : ખોરાકના સ્થાનાંતરણની ક્રિયા અન્નવાહક પેશીમાં થાય છે. ખોરાકનું સ્થાનાંતરણ અન્નવાહક પેશીના મુખ્ય બંધારણીય ઘટકો, ચાલનીકોષો અને ચાલનીનલિકા દ્વારા થાય છે.

સ્થાનાંતરણ ઉપય અને નીચે બંને તરફ થાય છે. તેમજ આ ક્રિયામાં જરૂરી ઊર્જા ATP માંથી મેળવાય છે.

અન્નવાહક પેશીમાં સુક્રોઝ જેવા પદર્થોનું સ્થાનાંતરણ થાય ત્યારે પેશીમાં આસૃતિદાબ વધે છે. આથી તેમાં પાણી પ્રવેશે છે અને વધારે આસૃતિદાબ ધરાવતી અન્નવાહક પેશીથી ઓછા આસૃતિદાબ ધરાવતી પેશીમાં દ્રવ્યોનું વહન થાય છે.

અન્નવાહક પેશી કાર્બોદિત ઉપરાંત એમોનો ઍસિડ, વનસ્પતિના પ્રરોહાગ્ર અને મૂલાગ્રમાં સંશ્લેષિત થતા વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવો અને અન્ય પદાર્થોનું પણ વહન થાય છે.

આમ, વનસ્પતિની આવશ્યકતા મુજબ અન્નવાહક પેશી દ્રવ્યોનું વહન કરે છે.


Advertisement

વહન એટલે શું ? જટિલ રચના ધરાવતા સજીવોમાં કયાં કયાં દ્રવ્યોના વહનની જરૂર પડે છે ?


ટુંક નોંધ લખો.
બાષ્પોત્સર્જનથી પાણીનું ઊર્ધ્વવહન


Advertisement