CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ટુંક નોંધ લખો.
બાષ્પોત્સર્જનથી પાણીનું ઊર્ધ્વવહન
બાષ્પોત્સર્જનથી સર્જાતા ખેંચાણબળથી પાણીનું વહન : ઉચ્ચ વનસ્પતિઓ પોતાના દેહમાં ઉચ્ચતમ સ્થિતિએ પાણી પહોંચાડવા માટે આ માર્ગ અપનાવે છે.
વનસ્પતિનાં હવાઈ અંગો દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી વાતાવરણમાં ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. પ્રકાશની હાજરીમાં પર્ણના વાયુરંધ્રો બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવે છે. આથી પર્ણના કોષોમાં પાણીનું પ્રમાણ ઘટે છે. તેની પૂર્તતા કરવા પર્ણની જલવાહિનીમાંથી પાણી મેળવાય છે. આમ, પાણીના અણુઓનું બાષ્પીભવન થવાથી પર્ણના કોષોમાં ખેંચાણબળ ઉદભવે છે. પર્ણના કોષોમાંથી આ ખેંચાણબળ ક્રમશઃ મૂળની જલવાહિની અને મૂળ કોષોમાં અનુભવાય છે. આથી વનસ્પતિઓમાં પાણી ઉપરની તરફ વહન પામે છે.
આમ, ઉચ્ચ વનસ્પતિઓમાં દિવસ દરમિયાન વાયુરંધ્રો ખુલ્લાં થતાં, બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણબળ જલવાહકમાં પાણીના વહન માટે મુખ્ય ચાલકબળ બને છે.
સ્થાનાંતરણ એટલે શું ? અન્નવાહક પેશીમાં પદાર્થોનું સ્થાનાંતરણ સમજાવો.
વહન એટલે શું ? જટિલ રચના ધરાવતા સજીવોમાં કયાં કયાં દ્રવ્યોના વહનની જરૂર પડે છે ?
વનસ્પતિમાં પાણીના વહનની સમજૂતી આપો.
અથવા
વનસ્પતિમાં મૂળ દ્વારા પાણીનું શોષણ અને ઊર્ધ્વવહન સમજાવો. અથવા જલવાહકમાં પાણીના વાહનની સમજૂતી લખો.