CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્રાકૃતિક વારસાનું જતન અને સંરક્ષણ માટે નીચેના ઉપાયો કરવામાં આવ્યા છે.
ઈ.સ. 1952માં ભારતીય વન્ય જીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. એ બોર્ડ વન્ય જીવોનું સંરક્ષણ કરે છે તેમજ તે માટેનાં સાધનો પૂરીં પાદે છે.
તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષીવિહાર અને પક્ષીઘરોના નિર્માણ કરવા સબંધિત સલાહ-સૂચનો અને માર્ગદર્શક આપે છે.
તે વન્ય જીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિનું કાર્ય કરે છે.
ઈ.સ. 1972 માં ભારત સરકારે વન્ય જીવોનેલગતો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષીત વિસ્તારોને આવરી લેવામાં આવ્યાં છે.
એ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે.
દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતાં વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવેલ છે.
ઈ.સ. 1883 માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિ’ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે.
ભારત સરકાર ઉપરાંત, દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષણનું ઘણું ઊપયોગી કાર્ય કરે છે.