Chapter Chosen

આપણા વારસાનું જતન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. 

Advertisement
વારસના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો.

આપણો વારસો એ આપણા દેશની લોકોની ઓળખનો અરીસો છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે. તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના સંરક્ષણની જવાબદારી ઉઠાવવી જોઈએ.

શિક્ષકોએ શાળાઓમાં અને અધ્યાપકોએ કૉલેજોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ.

લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ અને તેમના સંરક્ષણમાં મદદરૂપ થવું જોઈએ.

લોકોએ વારસાનાં સ્થળોની એક સુચી તૈયાર કરવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોક્સાઈ રાખવી જોઈએ.

સ્થાનિક સ્થળોનો પ્રવાસ, વક્તવ્યો અને ચર્ચાસભાઓએ અતિહાસિક સ્થળોનો પ્રવાસ, વક્તવ્યો અને ચર્ચાસભાઓ યોજી વારસાના મહત્વની સમજ આપી લોકજાગૃતિ અને સભાનતા કેળવવા જોઈએ.

ઐતિહાસિક સ્મારકો, શિલ્પ-સ્થાપત્યો અને કલાત્મક નમૂનાઓ એકવખત નષ્ટ થયા પછી તેમને મૂળ સ્થિતિમાં લાવી શકાતાં નથી. તેથી એ સ્મારકો નષ્ટ ન થાય, તેમની તોડફોડ ન થાય અને તે ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવાની ફરજ સૌએ બજાવવી જોઈએ.

પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવો, સરોવરો, કૂવા, વાવ, કુંડ, ઝરણાં, ઝરા વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ.

ધોળકાનું મલાવનું તળાવ, પાટણની રાણકી વાવ, અદાલજની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદની ભમરીયો કૂવો, જુનાગઢનો નવગણ કૂવો વગેરે વર્ષાઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકોની જેમ જ જળવાય તેનું ધ્યાન સૌએ રાખવું જોઈએ.

સરકાર દ્વારા જળવાતાં સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોમાં સંગૃહિત થયેલી આપણા વારસાની મૂલ્યવાન ચીજ વસ્તુઓ ચોરાઈને દેશમાં કે વિદેશમાં જતી ન રહે તેની લોકોએ સાવધાની રાખવી જોઈએ.

એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર ફરજ અદા કરવી જોઈએ.


Advertisement
આપણા વારસના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો. 

ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ? 

આપણે આપણા વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ ? 

Advertisement