Chapter Chosen

આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
પર્યાવરણની સુરક્ષા માટેનાં પગલાઓ જણાવો. 

પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા-વિચારણા કરવા માટે ઈ.સ. 1972માં સ્વિડન ના સ્ટૉકહોમ શહેરમાં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’ યોજાઈ. ત્યારપછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેક વાર સંમેલનો અને શિબિરો યોજાયાં. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું.

ભારતમાં પર્યાવરણ્ની સુરક્ષા માટે નીચે દર્શાવેલાં પગલાં ભરવામાં આવ્યાં છે.

દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે.

પ્રદૂષણ-નિવારણ અમે પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં5 જૂનના દિવસને ‘પર્યાવરણદિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં આ દિવસને પર્યાવરણદિન તરીકે ઉજવવામાં આવે છે.

ઈ.સ. 1981માં ભારત સરકારે ‘વાયું-પ્રદુષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો છે.

વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્કિક સમજૂતિઓનું પાલન કરવામાં આવે છે.

દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે.


Advertisement
ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો. 

વૈશ્વિકીકરણના લાભો જણાવો. 

ટકાઉ વિકાસ માટેની વ્યુહરચના 

આર્થિક ઉદારીકરણનો અર્થ આપી, તેના લાભો જણાવો. 

Advertisement